બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / Huge change in Gujarat's weather, what is the prediction about Mawtha? A voice came from the tunnel, I'm fine, I'm okay, take a hard decision by ICC
Vishal Khamar
Last Updated: 11:22 PM, 22 November 2023
Rainfall Distribution map for Gujarat State pic.twitter.com/ZlcH8OdXku
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 21, 2023
હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે. પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.
દિલ્લીનાં યુવક સાથે તોડ કર્યાનાં આક્ષેપ કર્યો છે. નાના ચીલોડા ટ્રાફિક પોઈન્ટ પાસે તોડ થયાનો આક્ષેપ થયો હતો. ત્યારે કારમાં દારૂની બોટલ હોવાથી પોલીસકર્મીઓએ તોડ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા 2 લાખની માંગણી કરાઈ હતી. જે બાદ 20 હજાર UPI કરાવી તોડ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અને TRB જવાને કાર્યવાહી નહી કરી રૂપિયા પડાવવાનો પ્લાન હતો.
નોકરી વાંચ્છુક લોકોને સરકારી નોકરીની લાલચ આપી તેઓની પાસેથી લાખો રૂપિયા લઈ સરકારનાં ઉચ્ચ વિભાગનાં બનાવટી ઓર્ડર તૈયાર કરીને ક્લાર્કની ભરતીનું કૌભાંડ આચર્યું હતું. જેમાં આરોપીઓ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની બોગસ સહી કરી બનાવટી ઓર્ડર તૈયાર કર્યા હતા. તેમજ બિન સચિવાલય ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. નોકરી ઈચ્છુક બે યુવતી સહિત દશેક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ બાબતે જૂનાગઢનાં યુવકે પાટણ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત રામાણીની ધરપકડ કરી હતી. તેમજ અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનાં ભાણેજ નિકુંજ માવાણી પણ સામેલ હોઈ પોલીસ દ્વારા તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે.
ED has issued an order to provisionally attach properties worth Rs. 751.9 Crore in a money-laundering case investigated under the PMLA, 2002. Investigation revealed that M/s. Associated Journals Ltd. (AJL) is in possession of proceeds of crime in the form of immovable properties…
— ED (@dir_ed) November 21, 2023
એજન્સીએ મની લોન્ડેરિંગનાં મામલામાં પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અનેક જગ્યાની પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.
કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે આ પછી યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને કારણે રસી પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ICMRએ પ્રતિક્રિયા આપી છે. ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે, રસી અને અચાનક મૃત્યુ વચ્ચેનો કોઈ સંબંધને નથી. ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા 4 ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં 4 મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે.
Advisory for Indian nationals in Myanmar:https://t.co/oUQxjHz3K3 pic.twitter.com/YkT69hFUwF
— Arindam Bagchi (@MEAIndia) November 21, 2023
મ્યાનમારમાં મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) અને સૈનિકો વચ્ચેના એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ભારતીય લોકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે લોકોએ મ્યાનમારનો પ્રવાસ ટાળવો જોઈએ. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, મ્યાનમારમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મ્યાનમારની બિનજરૂરી મુસાફરી ટાળે. આ સિવાય જે લોકો પહેલાથી જ મ્યાનમારમાં રહે છે તેમણે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ન જવું જોઈએ. માર્ગ દ્વારા આંતરરાજ્ય મુસાફરી પણ ટાળવી જોઈએ.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસાકે મંગળવારે આ માહિતી આપી હતી. ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન, વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે.
પંકજ ત્રિપાઠી આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની એક પછી એક ફિલ્મો આવી રહી છે જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. હવે આ સિરીઝમાં કડક સિંહ (કડક સિંહ) નું નામ જોડાવા જઈ રહ્યું છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે એકદમ પાવરફુલ લાગી રહ્યું છે. એટલું બધું કે ખુદ અમિતાભ બચ્ચન પણ તેને શેર કરવાથી અને વખાણ કરતા રોકી શક્યા નથી.
21 નવેમ્બર 2023ની સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, સોનું હજુ પણ 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. ચાંદીની કિંમત 73 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 61352 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 73040 રૂપિયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 60888 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે (મંગળવાર) સવારે વધીને 61352 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી મોંઘા થયા છે.
ICC Board announce new hosts for Men's U19 Cricket World Cup 2024 👀
— ICC (@ICC) November 21, 2023
More ⬇️
અગાઉ આ ICC અંડર-19 વર્લ્ડ કપ શ્રીલંકામાં યોજાવાનો હતો પરંતુ ICCએ તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે અને તેથી આ વર્લ્ડ કપનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. ICCએ અમદાવાદમાં મળેલી બેઠકમાં આ અંગે ઘણી ચર્ચા કરી અને ત્યાર બાદ આ નિર્ણય લીધો. યશ ધુલની કેપ્ટનશીપમાં ગયા વર્ષે ભારતમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે રમાનાર વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે. હવે ICCએ આ વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય લીધો છે. ICCએ આવતા વર્ષે યોજાનાર અંડર-19 વર્લ્ડ કપનું સ્થળ બદલ્યું છે. ICCએ અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. પહેલા આ વર્લ્ડ કપ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં યોજાવાનો હતો, પરંતુ હવે ICCએ તેમાં ફેરફાર કરીને આ વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવાનો નિર્ણય લીધો છે. ICCએ થોડા દિવસ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું. ICCએ તેની બેઠકમાં લાંબા સમય સુધી આ અંગે ચર્ચા કરી અને પછી નિર્ણય લીધો કે શ્રીલંકામાં ક્રિકેટ ચાલુ રહેશે પરંતુ બોર્ડના સસ્પેન્શનના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવશે નહીં. જેના કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime