બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / how to pleased shani dev on saturday shani dev upay

જ્યોતિષ શાસ્ત્ર / ફર્શથી ઉઠાવીને અર્શ પર પહોંચાવી દેશે શનિદેવ: શનિવારે મોકો મળતા જ કરી લેવા જોઈએ આ ઉપાય

Bijal Vyas

Last Updated: 02:19 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની શુભ દ્રષ્ટિ તેમના પર રહે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને જલ્દી પ્રસન્ન કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો તેના વિશે જાણીએ....

  • શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે
  • શનિ દેવ વ્યક્તિના કર્મો અનુસાર તેમને ફળ આપે છે. 
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે નેત્રહીન લોકોની મદદ કરવી વિશેષ માનવામાં આવે છે

Saturday Remedies: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો કરે છે તેને શુભ ફળ મળે છે અને જે ખરાબ કાર્યો કરે છે તેને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શનિદેવને લઇ એવી માન્યતા છે કે, જ્યારે શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેને પોતાના સિંહાસન પરથી જમીન પર લાવવામાં સમય નથી લાગતો. ત્યાં જો શનિદેવ પ્રસન્ન હોય તો વ્યક્તિ નોટોમાં રમે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની શુભ દ્રષ્ટિ તેમના પર રહે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને જલ્દી પ્રસન્ન કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો તેના વિશે જાણીએ....

શનિદેવ છે નારાજ? તો ઘરે બેઠાં કરો આ મંત્રોનો જાપ, ચમકી ઉઠશે કિસ્મત, મળશે  તમામ કષ્ટોથી મુક્તિ/ shani dev mantra chant these mantra on shanivaar all  worries will be vanished

મન ખોલીને કરો દાન 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકો ઉદારતાથી દાન કરે છે તેમના પર શનિ હંમેશા પ્રસન્ન રહે છે. આ માટે જે વ્યક્તિ તીજના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરે છે, તેમની મદદ કરે છે, તેને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે, જે લોકો સાચા મનથી ગરીબોને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ અને કપડા વગેરેનું દાન કરે છે તેમના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.

આ રીતે મેળવો શનિદેવની કૃપા
માન્યતા છે કે શનિદેવની છત્ર-છાયા  મેળવવા માટે જરૂરિયાતમંદોને કાળા રંગની છત્રીનું  દાન કરો.

કૂતરાની સેવા કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકો કૂતરાઓની સેવા કરે છે તેમના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. કહેવાય છે કે, જે લોકો કૂતરાઓને ભોજન આપે છે અને તેમને પરેશાન કરતા નથી તેમના કષ્ટ શનિદેવ દૂર કરે છે. આવી સ્થિતિમાં જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કુતરાઓને પ્રેમ કરો અને તેમની સેવા કરો.

શનિદેવને ખૂબ ગમે છે આ રાશિ: ડગલે ને પગલે આપે છે સાથ, જાણૉ તમારી રાશિનું નામ  છે કે નહીં | Shani Dev likes this zodiac sign very much Follows the path  whether

નેત્રહીનોને કરો મદદ
શનિદેવને પ્રસન્ન કરવા માટે નેત્રહીન લોકોની મદદ કરવી વિશેષ માનવામાં આવે છે. જેઓ અંધ લોકોને રસ્તો બતાવવામાં મદદ કરે છે, અન્ય કોઈપણ રીતે મદદ કરે છે વગેરેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમને જીવનમાં સફળતા અને પ્રગતિ આપે છે.

શનિવારના દિવસે રાખો વ્રત
માનવામાં આવે છે કે જે લોકો પર શનિદેવની કૃપા હોય છે, તેમના અનાજના ભંડાર હંમેશા ખુલ્લા રહે છે, જે લોકો શનિવારનો ઉપવાસ કરે છે અને ગરીબોને ભોજન વગેરેનું દાન કરે છે, તેમના પર શનિ હંમેશા કૃપા રહે છે. એટલું જ નહીં આ લોકોને ધનની કોઈ કમી થતી નથી.

માછલીઓને ખવડાવો 
શનિદેવને પ્રસન્ન કરવા માછલીઓને દાણા ખવડાવો. તેનાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ