જો તમે પણ હજી સુધી પાન કાર્ડની સાથે આધાર લિંક નથી કર્યું તો વાંચી લો આ સમાચાર, નહીંતર થશે મોટું નુકસાન.
પાન કાર્ડ ધારકો માટે કામના સમાચાર
ફટાફટ પાન અને આધાર લિંક કરી દો
પાન લિંક નહીં કરાવો તો આપવો પડશે આટલો દંડ
જો તમે હજી સુધી પોતાનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો આજે જ કરી લો. તમારી પાસે હવે માત્ર 10 દિવસનો સમય છે. ઈન્કમટેક્સ વિભાગે પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન 31 માર્ચ 2021 સુધી રાખી છે. ત્યારબાદ પણ જે લોકોના પાન લિંક નહીં થયા હોય તેમને 10 હજાર રૂપિયા દંડ આપવો પડશે. તેની સાથે જ તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
શું છે નિયમ?
જો તમારું પાન નિષ્ક્રિય થઈ ગયું છે અને તમે પોતાના બેંક એકાઉન્ટથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. સાથે જ પાન કાર્ડ વગર તમે મોટી રકમ કાઢી પણ નહીં શકો. આ સિવાય નિષ્ક્રિય પાનથી આવા દરેક ટ્રાન્ઝેક્શન માટે તમારે દંડ ભરવો પડશે.
વેબસાઇટ દ્વારા કરી શકાય છે લિંક
સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ.
આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થવા પર સ્કેવયર ટિક કરો.
હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
બસ તમારું પાન આધાર સાથે લિંક થઈ જશે.
SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ
તેના માટે તમારે પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 આંકડાવાળો આધાર નંબર લખો અને પછી 10 આંકડાવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.
નિષ્ક્રિય પાનને કઈ રીતે એક્ટિવ કરવું
તમને જણાવી દઈએ કે, નિષ્ક્રિય પાન કાર્ડને એક્ટિવ કરી શકાય છે. તેના માટે તમારે એક SMS કરવાનો રહેશે. તેના માટે તમારે મેસેજ બોક્સમાં જઈને તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી 12 આંકડાવાળો પાન નંબર એન્ટર કર્યા બાદ સ્પેસ આપીને 10 આંકડાવાળો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને 567678 or 56161 પર SMS કરવાનો રહેશે.