બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Home Remedies for Chronic Constipation and Gas Problems in Old Age

આરોગ્ય / જૂનામાં જૂની કબજિયાત અને ગેસની સમસ્યા થશે દૂર: બસ 7 દિવસ સુધી કરો આ કામ

Kishor

Last Updated: 07:27 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કબજિયાતને દૂર કરવા માટે કેટલાક લોકો દવાઓ લઈને કબજિયાતની સારવાર કરે છે, પરંતુ રોજ આ સારવાર આવકારદાયક બાબત નથી.

  • મોટાભાગના રોગનું મૂડ ગણવામાં આવે છે કબજિયાત
  • કબજિયાતને દૂર કરવા માટેના ઉપાય જાણો 
  • આમળા, ગાયનું ઘી છે ખૂબ ગણકારી

કબજિયાતને મોટાભાગના રોગનું મૂડ ગણવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં કબજિયાતની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. જેને ગણકારવામાં ન આવે તો ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. સામાન્ય રીતે ગંભીર તબીબી સ્થિતિ નથી, તે એક મોટી સમસ્યા બની શકે છે. ઘણા દિવસો સુધી પેટ સાફ ન હોવાને કારણે ન તો ભૂખ લાગે છે બેચેનીને પરિણામે કામ કરવાની પણ ધગશ રહેતી નથી. ત્યારે કબજિયાતને દૂર કરવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો દવાઓ લઈને કબજિયાતની સારવાર કરે છે, પરંતુ રોજ આ સારવાર આવકારદાયક બાબત નથી.જો અમૂક નિયમ પાળવામાં આવે તો કુદરતી રીતે પાચન ક્રિયા વ્યવસ્થિત થઈ શકે છે.

કોઈ જ દવા ખાવાની જરૂર નહીં પડે અને કબજિયાત જડમૂળથી મટી જશે, બસ આ દેશી ઉપાય  એકવાર કરી લો | Know home remedies for constipation relief

કબજિયાતનો શિકાર ન બનવા માટે દિવસભર પુષ્કળ પાણી સહિતના પ્રવાહીનું પુષ્કળ ઉપયોગ કરવો. ઉઠતાની સાથે જ બે ગ્લાસ ગરમ પાણી પીવું શરીર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જમ્યા બાદ કે પહેલા વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.ખજૂર ખાવો પણ ફાયદાકારક માનવામાં આવે છે. જે પિત્તને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી કબજિયાતમાં રાહત મળી શકે છે.

મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે લેવા
કબજિયાતમાં મેથી ખૂબ રાહતરૂપ માનવામાં આવે છે. મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે સૌથી પહેલા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. વધુમાં બીજનો પાવડર બનાવી સૂતી વખતે એક ચમચી મેથીનો પાવડર ગરમ પાણી સાથે લઈ શકો છો.

ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી
આ ઉપરાંત ગાયનું ઘી મેટાબોલિઝમ સુધારે છે. શરીરમાં તંદુરસ્ત ચરબી જાળવવામાં મદદ કરે છે. વધુમાં આમળાનું રોજ સવારે પેટ તેનું સેવન કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. એક ચમચી આમળા પાવડર તથા ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી છે. વધુમાં કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ