ભારતની 1964ની ટોક્યો ઓલંપિક ગોલ્ડ મેડલ વિજેતા હૉકી ટીમના કેપ્ટન ચરણજીત સિંહ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
ભારતની 1964ની ટોક્યો ઓલંપિક ગોલ્ડ મેડલ વિજેતા હૉકી ટીમના કેપ્ટન ચરણજીત સિંહ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરૂવારે હિમાચલના ઉનામાં હ્દયનો હુમલો આવતા તેમનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી ઉંમર સાથે જોડાયેલી બિમારીથી ઝઝૂમી રહ્યા હતાં.
1964ના ટોક્યો ઓલંપિકમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે ચરણજીત સિંહ ભારતીય ટીમના કેપ્ટન હતાં. આ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ અગાઉ 1960માં ભારતીય ટીમે રોમ ઓલંપકિમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે પણ તેઓ ટીમના ભાગ હતાં.
On behalf of Hockey India, we mourn the loss of a great figure of Indian Hockey, Shri Charanjit Singh.
ચરણજીત આગામી મહિને પોતાનો 91મો જન્મ દિવસ ઉજવવાના હતા. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. પાંચ વર્ષ પહેલા પણ ચરણજીતને સ્ટ્રોક થયો હતો અને ત્યારથી તેઓ લકવાગ્રસ્ત હતાં. તેમના દિકરા વિપી સિંહે જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યા બાદ તેઓ લકવાગ્રસ્ત હતાં. તેઓ લાકડીના ટેકે ચાલતા હતા. પણ છેલ્લા બે મહિનાથી તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમણે ગુરૂવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. મારી બહેન દિલ્હીથી આવ્યા બાદ તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હોકી ઈંડિયાએ ચરણજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ભારતે એક મહાન ખેલાડી ખોઈ દીધો છે. હોકી ઈંડિયાના અધ્યક્ષ જ્ઞાનેદ્રો નિગોંબમે કહ્યું કે, તેઓ મહાન હાફબૈક હતાં, તેમણે ખેલાડીઓની આખી એક પેઢીને પ્રેરણા આપી છે. તેઓ શાંતચિંત કેપ્ટન હતાં અને મેદાનમાં તેમના અનેક કૌશલ્ય અને મેદાન બહાર સજ્જનતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
તેઓ દહેરાદૂનના કર્નલ બ્રાઉન કૈમ્બ્રિઝ સ્કૂલ અને પંજાબ યુનિવર્સિટીમાંથી ભણ્યા હતાં. આંતરરાષ્ટ્રીય હોકીમાં શાનદાર કરિયરને અલવિદા કહ્યા બાદ તેઓ શિમલામાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગમાં ડાયરેક્ટર પણ રહ્યા હતાં.
ઓલંપકિ ગોલ્ડ મેડલ વિજેતા ટીમની કેપ્ટનસી સાથે તેઓ 1960 રોમ ઓલંપિકની રજત પદક વિજેતા ટીમમાં હતાં.આ ઉપરાંત તે 1962 એશિયાઈ રમતની રજત પદક વિજેતા ટીમના પણ સભ્ય હતાં. ચરણજીતની પત્નીનું 12 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. તેમનો મોટો દિકરો કેનેડામાં ડોક્ટર છે અને નાનો દિકરો તેમની સાથે હતો. તેમની દિકરી લગ્ન બાદ દિલ્હીમાં રહે છે.