સુરેન્દ્ર સ્વામી, નવી દિલ્હી: દેશભરમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન થતી સાડ ઇફેક્ટ્સથી 4 વર્ષમાં 1,443 લોકોનો જીવ ગયા છે. એટલે કે ટ્રાયલના કારણે દર વર્ષે 350 લોકોનાં મોત. આ આંકડો ખુદ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કોઇ પણ રાજ્ય સરકાર પાસે હોસ્પિટલોમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલની જાણકારી પણ નથી. એવામાં કઇ હોસ્પિટલ અને કઇ દવા કંપની કયા-કયા દર્દીઓ પર ટ્રાયલ કરી રહી છે તેને તપાસવાની કોઇ સિસ્ટમ જ નથી. નોંધનીય છે કે હોસ્પિટલ સ્તરે ઠેર-ઠેર એથિક્સ કમિટી રચવાની જોગવાઇ છે, જેથી તે કમિટી ક્લિનિકલ ટ્રાયલ પર નજર રાખે પણ મોટા ભાગની હોસ્પિટલોમાં તેની રચના કરાઇ નથી.