બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલના ભોજપરામાં ભેળસેળવાળા તેલનો ખેલ! મુરલીધર પ્રોટિન્સમાં SOGના દરોડા, માલિક સામે કાર્યવાહી
Last Updated: 01:55 PM, 18 August 2026
સુરતના વરાછામાં શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું જમવાનું ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું. સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે માતા-પિતા સહિત ચાર સભ્યોની હાલત ગંભીર છે. ત્યાં તો હવે રાજકોટમાંથી પણ ખાદ્ય વસ્તુને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શુદ્ધ ખાદ્ય તેલના નામે ભેળસેળનો મોટો ખેલ ઝડપાતા લોકોમાં ચિંતા વધી છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં આવેલા મુરલીધર પ્રોટિન્સ નામના કારખાનામાં ચાલતા કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડો પાડતાં કારખાનામાંથી મોટી માત્રામાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, કારખાનામાં શુદ્ધ ખાદ્ય તેલના નામે ભેળસેળવાળું તેલ તૈયાર કરવામાં આવતું હોવાની આશંકાના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત તેલ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે પોલીસે કારખાનાના માલિક જયદેવ ડાંગર સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કારખાનામાં કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી, કેટલું ભેળસેળયુક્ત તેલ બજારમાં પહોંચ્યું છે અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના સતત સામે આવતા બનાવોએ સામાન્ય લોકોમાં ચિંતા વધારી છે. એક તરફ સુરતમાં બહારનું જમવાનું ખાધા બાદ એક માસૂમ બાળકીનું મોત થયું છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ ઝડપાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો પણ લોકોને બહારનું ખાવાનું તેમજ પેકિંગવાળી ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ભેળસેળયુક્ત ખાદ્ય તેલના આ કૌભાંડ સાથે સંકળાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.