બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં આ સફેદ વસ્તુનો આ રીતે કરો ઉપયોગ! આર્થિક તંગી દૂર થવાની માન્યતા

photo-story

5 ફોટો ગેલેરી

Vastu Tips / ઘરમાં આ સફેદ વસ્તુનો આ રીતે કરો ઉપયોગ! આર્થિક તંગી દૂર થવાની માન્યતા

Last Updated: 01:36 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vastu Tips: જો તમે પણ આર્થિક તંગી અને દેવાથી પરેશાન છો, તો તમારા ઘર અને દુકાનમાં ફટકડીના આ અત્યંત અસરકારક ઉપાયો અજમાવી જુઓ. તે આર્થિક લાભ અને સમૃદ્ધિનો રસ્તો ખુલે છે.

1/5

photoStories-logo

1. ધન પ્રાપ્તિ અને ગરીબી દૂર કરવા માટેનો ઉપાય

જીવનમાં ઘણીવાર સખત મહેનત કરવા છતાં પૈસાની અછત રહે છે, પ્રગતિમાં અવરોધો આવે છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન પ્રાપ્તિ અને ગરીબી દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવો જ એક અત્યંત અસરકારક અને સસ્તો ઉપાય ફટકડીનો ઉપયોગ છે. ફટકડી માત્ર નકારાત્મક ઊર્જાને જ દૂર કરતી નથી, પરંતુ આર્થિક લાભનો માર્ગ પણ મોકળો કરે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બિઝનેસ અને દુકાનમાં ધન વર્ષા માટે

જો તમે વ્યવસાયના માલિક હોય અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો કે વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હોય, તો તમારે ચોક્કસપણે ફટકડીનો આ ઉપાય અજમાવવો જોઈએ. ફટકડીના ટુકડાને કાળા સુતરાઉ કપડામાં બાંધો અને તેને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવો. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર, આ ઉપાય નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે અને ગ્રાહકોને આકર્ષે છે, જેનાથી વ્યવસાયના નફામાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઘરમાં બરકત અને આર્થિક વૃદ્ધિ માટે

ઘરની તિજોરી કે સેફમાં પૈસા ન ટકવા એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાને રોકવા માટે, ફટકડીનો એક નાનો ટુકડો લાલ રંગના નાના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો તે જગ્યાએ મૂકો. માનવામાં આવે છે કે આમ કરવાથી બિનજરૂરી ખર્ચ પર અંકુશ આવે છે અને ઘરમાં સતત સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પોતુ કરવાના પાણીથી કરો નેગેટિવિટી દૂર

ઘરમાં નકારાત્મક ઊર્જા ઘણીવાર વારંવાર થતા કલેશ અને આર્થિક અવરોધોનું મુખ્ય કારણ હોય છે. નિયમિત રીતે પોતું કરતી વખતે, પાણીમાં એક ચમચી ફટકડીનો પાવડર અને થોડું મીઠું ઉમેરો. આ મિશ્રણ વાસ્તુ દોષોને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે. જ્યારે ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આર્થિક વૃદ્ધિની તકો વધવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દરિદ્રતાનો નાશ

જો તમે લાંબા સમયથી દેવાથી પરેશાન હોય અથવા ઘરની આર્થિક સ્થિતિ અસ્થિર હોય, તો આ ઉપાય અત્યંત અસરકારક છે. કાચના વાસણમાં ફટકડીના થોડા મોટા ટુકડા મૂકો અને તેને ઘરના ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ દિશામાં) કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો. દર 15 દિવસે ફટકડી બદલતા રહો, તે ઘરની ગરીબીને શોષી લેવામાં મદદ કરે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં સહાયક માનવામાં આવે છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

financial problem fitkari remedies for money vastu tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ