બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢમાં પગથિયાં ઉપર પથ્થરો ધરાશાઇ થતાં 15 લોકો ઈજાગ્રસ્ત, ચાર વ્યક્તિ પથ્થર નીચે દબાયા
Last Updated: 08:27 AM, 19 June 2026
Pavagadh Accident : પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટિયા પુલ નજીક અચાનક મોટા પથ્થરો ધરાશાઇ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને યાત્રાળુઓમાં દોડધામ મચી ગઈ હતી.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
પ્રાથમિક માહિતી અનુસાર પથ્થરો પડતાં અંદાજે 15 લોકો અસરગ્રસ્ત બન્યા હતા. ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોએ સંયુક્ત પ્રયાસો હાથ ધર્યા હતા.
ADVERTISEMENT
પાવાગઢમાં પથ્થરો થયા ધરાશાઇ, 15 લોકો દબાયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
પથ્થર ધરાશાઇ થતા 15 લોકો વ્યક્તિ દબાયા
2 લોકો હજુ પણ પથ્થર નીચે દબાયેલા હોવાની માહિતી
પગથિયાં ઉપર પથ્થર પડતા ચાર વ્યક્તિ દબાયા હતા
15 લોકો ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર માટે લવાયા#Pavagadh #Accident #RescueOperation #GujaratNews… pic.twitter.com/g1CzRRgvdc
આ પણ વાંચો : જસદણ નજીક ખાનગી બસ પલ્ટી જતાં 11 મુસાફરો ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
માહિતી મુજબ કેટલાક લોકો પથ્થરો નીચે ફસાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે બચાવ કામગીરી વધુ તેજ બનાવવામાં આવી હતી. ભારે વરસાદ અને દુર્ગમ પરિસ્થિતિ વચ્ચે બચાવ ટીમોએ જોખમ વચ્ચે કામગીરી ચાલુ રાખી હતી. સ્થળ પર હાજર લોકોએ પણ માનવતાનું રેસ્ક્યુ ઓપરેશનમાં સહયોગ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.