બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પંચાયત-પાલિકા ચૂંટણી વચ્ચે VNSGUના પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર
Last Updated: 10:58 AM, 5 April 2026
Surat VNSGU Exams: સુરતની VNSGU એ આગામી પરીક્ષાને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આગામી દિવસોમાં યોજાનારી પંચાયત અને પાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓનું સમયપત્રક બદલવામાં આવ્યું છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય અનુસાર 25 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન યોજાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની ફરજ, વ્યવસ્થા અને સંચાલન માટે માનવબળની જરૂરિયાતને કારણે આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તે માટે આ બદલાવ જરૂરી માનવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ નિર્ણયની અસર અનેક અભ્યાસક્રમો પર પડશે. ખાસ કરીને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ છે. B.Com, BBA, BCA, LLB, B.Com LLB જેવા કોર્સ ઉપરાંત LLM, M.A, M.MS અને માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ જેવા અભ્યાસક્રમોની પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. હજારો વિદ્યાર્થીઓ આ નિર્ણયથી પ્રભાવિત થશે. પરંતુ યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે બાકીની તમામ પરીક્ષાઓ જે 25 થી 28 એપ્રિલ સિવાયની છે. તે અગાઉ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ લેવામાં આવશે.
ADVERTISEMENT

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વધુમાં જણાવ્યું છે કે મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓ માટેનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અને સૂચનાઓ પર નજર રાખે. આ પરિવર્તન તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે અને આગામી તારીખો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને યોગ્ય તૈયારી માટે પૂરતો સમય આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.