બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, અને જમતા જ...! પોલીસ એક્શનમાં

ઘટના / અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, અને જમતા જ...! પોલીસ એક્શનમાં

Priyankka Triveddi

Last Updated: 12:23 PM, 13 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી એક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. લોકોની આસ્થા અને શ્રદ્ધા ડગી જાય તેવો આ કિસ્સો વાંચીને તમે પણ આ પછી કદાચ પ્રસાદ લેતા અચકાશો. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

Surat Prasad Case: સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં પ્રસાદ એ એક એવી આસ્થા સાથે વણાયેલી વસ્તુ છે કે તેનો સ્વીકાર કરવાનું ભાગ્યે જ કોઈ ટાળે. પણ જો તમને ખબર પડે કે પ્રસાદ એ જીવનું જોખમ સાબિત થઈ શકે છે તો? આવો જ એક આસ્થા સાથે ખિલવાડ કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પ્રસાદ એ લોકોના જીવ લેવાનું સાધન બન્યું છે. આખો મામલો વાંચો વિગતે.

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. જેમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને એક આખા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉત્રાણ વિસ્તારના શાલીગ્રામ હાઇટ્સ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ દરવાજા પર પ્રસાદના લાડુમાં ઝેર મિશ્રિત લાડુ મૂકી દેવાની ઘટનાએ આ વિસ્તારના નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.

પ્રસાદના બહાને આપ્યું ઝેર

મળતી માહિતી અનુસાર ગોરધન ડોંડા નામના વ્યક્તિ જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને દરવાજા પર એક થેલી લટકતી જોવા મળી. થેલીમાં બુંદીના લાડુ હતા જેને તેઓ સામાન્ય પ્રસાદ સમજીને ઘરમાં લઈ ગયા. આપણા સમાજમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન આવી રીતે પ્રસાદ વહેંચવાની પરંપરા હોવાથી તેમને કોઈ શંકા થઈ નહોતી. પરંતુ આ સામાન્ય લાગતી ઘટના પાછળ એક ખતરનાક કાવતરું છુપાયેલું હતું. અજાણ્યા શખ્સોએ પ્રસાદના નામે ઝેર મિશ્રિત લાડુ તેમના ઘરે થેલીમાં લટકાવ્ય હતા. જેનો આશય તેમનો જીવ લેવાનો હોય શકે છે.

લાડુ ખાધા બાદ પરિવારની તબિયત લથડી

ગોરધનભાઈ તેમની પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા બાદ થોડા જ સમયમાં તબિયત ખરાબ થવા લાગી. તેમને ચક્કર આવવા લાગ્યા અન્ર સાથે ઉલ્ટી અને બેચેની પણ થવા લાગી. સ્થિતિ ગંભીર બનતા તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ તપાસ દરમિયાન નોંધ્યું જોયું કે આ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નથી. અને માટે જ વધુ તપાસ માટે લાડુની ચકાસણી કરવામાં આવી અને બાકી રહેલા લાડુની તપાસ કરતાં અંદર ઝેરની ગોળીઓ મળી આવી. આ દવાઓ કે જે સામાન્ય રીતે અનાજ સંગ્રહ માટે વપરાય છે. આથી સ્પષ્ટ થયું કે આ ઘટના જાણે જોઈને કરવામાં આવેલી હત્યાની કોશિશ છે.

પોલીસ તપાસ શરૂ

આ ઘટના બાદ ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં પાંચ જેટલા શંકાસ્પદ લોકોની હિલચાલ સામે આવી છે. જેના આધારે પોલીસે તેમની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે આ કાવતરું કોઈ નજીકના ઓળખીતાની મદદથી ગોઠવાયું હોઈ શકે છે. કારણ કે પ્રસાદ ક્યારે મૂકવો અને પરિવાર ક્યારે ઘરે હશે તેની ચોક્કસ માહિતી કોઈ જાણકારને જ હોઈ શકે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ, 15 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે

સુરતની આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે કે કોઈ પણ અજાણી વસ્તુ, ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુ, વિચાર્યા વગર સ્વીકારવી જોખમી બની શકે છે. ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલી આવી ઘટના સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે ત્યારે આગળ આ ઘટનાનું શું પરિણામ આવશે તે તો સમય જ જણાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

સુરત ઝેર કાંડ Surat Poisoning case Prasad Incident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ