બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વાલીઓ ગમે ત્યાંથી ખરીદી શકશે પુસ્તકો, DEOની નોટિસથી શાળા સંચાલકોને છૂટ્યો પરસેવો
Last Updated: 07:22 PM, 4 June 2025
રાજકોટ જિલ્લાની 25 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકાર્યા બાદ શાળાના સંચાલકો હરકતમાં આવ્યા છે. આ શાળાઓ પર વાલીઓને યુનિફોર્મ અને પુસ્તકોની ખરીદી માટે ચોક્કસ વિક્રેતાઓ પાસેથી ખરીદી માટે દબાણ કરવાનો આરોપ છે.
ADVERTISEMENT

DEOની નોટિસ બાદ શાળા સંચાલકો હરકતમાં
ADVERTISEMENT
આ ઘટનાને પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તાબડતોબ એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ મુદ્દે ખુલાસો માંગતા નોટિસ મોકલી હતી, જેના જવાબમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો પરિપત્ર જાહેર કર્યો છે.
આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા, ખોરાક કેટલો આરોગ્યપ્રદ? આ રીતે ચકાસો
ADVERTISEMENT

વાલીઓ ગમે ત્યાંથી ખરીદી શકશે પુસ્તકો
ADVERTISEMENT
આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાલીઓને યુનિફોર્મ કે પુસ્તકોની ખરીદી માટે કોઈ ચોક્કસ સ્થળ કે વિક્રેતા પાસેથી ખરીદી કરવાનું દબાણ કરવામાં આવતું નથી. વાલીઓ પોતાની પસંદગીના કોઈપણ વિક્રેતા પાસેથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.