બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મેઘરાજા રિસાયા! ગુજરાતમાં આ ઠેકાણે 25 દિવસથી વરસાદ જ નહીં, પાક સુકાવા લાગતાં ખેડૂતોમાં ચિંતા

ચિંતાજનક / મેઘરાજા રિસાયા! ગુજરાતમાં આ ઠેકાણે 25 દિવસથી વરસાદ જ નહીં, પાક સુકાવા લાગતાં ખેડૂતોમાં ચિંતા

Published By: Hiralal Parmar
Reported By: Rohit Barad

Last Updated: 04:58 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં તાજેતરના સમયમાં ભારે વરસાદ છતાં એક જિલ્લો એવો રહ્યો છે જ્યાં વરસાદ જ નથી પડ્યો અને તેથી હવે ખેડૂતોમાં હવે ચિંતા ઊભી થઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા લગભગ 25 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. એક તરફ ખેતરોમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે તો બીજી તરફ કૂવાઓ અને બોરવેલના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

ચોમાસાની શરુઆતમાં વરસાદ પડ્યો પછી નહીં

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મગફળી, સોયાબીન, કપાસ, શેરડી સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદે વિરામ લેતા હવે ખેતરોમાં ઉભેલા પાક સુકાવા લાગ્યા છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે, જેના કારણે પાકનો વિકાસ પણ અટકી ગયો છે.ખેડૂતો હાલ પિયતના પાણીના સહારે પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કૂવાઓ અને બોરવેલના પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા હોવાથી સિંચાઈ કરવી પણ મુશ્કેલ બની રહી છે. પાણીની અછતને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

પાક સુકાવાને આરે

ગીર માં વરસાદના અભાવે મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી જેવા પાકોમાં સુકારા જેવી સ્થિતિ તેમજ વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પાકના પાન પીળા પડી રહ્યા છે અને છોડનો વિકાસ અટકી જતાં ઉત્પાદન પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી સમયે મોંઘા બિયારણ, ખાતર, દવા અને નિંદામણ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જો હવે વરસાદ નહીં થાય તો આ તમામ ખર્ચ ઉપર પાણી ફરી વળશે અને આખો પાક બળી જવાની ભીતિ ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનવાની શક્યતા છે.

શું કહે છે વૈજ્ઞાનિકો

બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે આ વર્ષો વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે અને જો વરસાદ હજુ પણ વસી જાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં ઉત્પાદન મળી શકે તેવી પણ શક્યતા હાલ જોવાઈ રહી છે અત્યારે હાલ મગફળીના પાકને ડાધા મૂકવાનો સમય છે જો સમયસર વરસાદ થઈ જશે તો ખેડૂતોને મોટો ફાયદો થશે.

વધુ વાંચો : પતિના ફોટા સાથે મહિલા પ્રોફેસરનો વીડિયો વાયરલ: પત્નીએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતાં મામલો ચર્ચામાં

વરસાદ ખેંચાશે તો હજારો ખેડૂતોને નુકસાન

હાલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં થાય તો જિલ્લાના હજારો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તેથી હવે સૌની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gir somnath rain gir somnath

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ