બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!

સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!

Last Updated: 09:00 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઘણા બધા નિર્ણય લેવાતા હોય છે, ઘણી બધી રાજકીય અને વહીવટી ઘટનાઓ પણ બનતી હોય છે, જો કે આ બધાની વચ્ચે કેટલીક વાતો એવી હોય છે, જે જાણવી જરૂરી છે. સંજય'દ્રષ્ટિ'માં આ વખતે વાંચો ગાંધીનગરમાં ચાલતી આવી જ કેટલીક ચર્ચાઓ

ભાજપ પ્રદેશ પ્રમુખના નામની થશે જાહેરાત અને પછી...

છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખની તેમજ મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે. છેલ્લે એવી વાત હતી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જાહેરાત કરાશે. જો કે, બજેટ સત્ર આવી જતા ફરીથી નિયુક્તિ અને વિસ્તરણ અટકી પડ્યું હતું. હવે બજેટ સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે, કોઈ મહત્વની ઈવેન્ટ નજીકના ભવિષ્યમાં આવતી નથી. જેથી દિલ્હી હાઈકમાન્ડનો પણ આ મુદ્દે રેડી છે. ભાજપના નેતાઓએ હવે ગુજરાતનો મામલો હાથ પર લઈ લીધો છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, સૌ પ્રથમ ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરાશે. ત્યાર બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. નવા પ્રમુખ આવી ગયા બાદ તેમને વિશ્વાસમાં લઈને કયા મંત્રીને પડતા મૂકવા અને કયા નેતાને મંત્રી બનાવવા તેનો નિર્ણય કરાશે. એટલું જ નહીં, જે કેટલાક મંત્રીઓને ચોક્કસ કારણોને લઈને મંત્રીમંડળમાં હજુ ચાલુ રાખવાના છે, પરંતુ તેમનું પર્ફોમન્સ નબળું હોવાથી તેમના ખાતા બદલવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. ભાજપના તમામ ધારાસભ્યો, નેતાઓ અને ટોચના અધિકારીઓ નવા પ્રમુખનું નામ જાણવા આતુર છે તેમજ વિસ્તરણને લઈને એક પ્રકારનો ઉચાટ જોવા મળી રહ્યો છે તે હવે શાંત થશે. આ મહિનાના અંત સુધીમાં આ બન્ને મહત્વના કામો પૂરા કરી દેવામાં આવે એવી પૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

BJP-FINAL-FLAGS

મંત્રીઓએ કરી નાખી 'સાફસફાઈ'!

મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે 8થી 10 મંત્રીઓને પડતા મૂકાય તેવી ચર્ચા ચાલી રહી છે, જેને લઈને જે મંત્રીઓને પોતાની હકાલપટ્ટી થશે એવો ડર છે તેઓએ પોતાના કાર્યાલયમાંથી કેટલીક ફાઈલો અને મહત્વના કાગળોની સાફ સફાઈ કરી નાખી છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, સામાન્ય રીતે મંત્રીઓ સોમ,મંગળ અને બુધવાર સુધી જ સ્વર્ણિમ સંકુલ-1માં પોતાના કાર્યાલયમાં રોકાતા હોય છે. ઉપરાંત સોમવારે મોટાભાગે 12 વાગ્યાની આસપાસ આવતા હોય છે. પરંતુ બે અઠવાડFયાથી ઘણા મંત્રીઓ સવારના 10 વાગ્યે હાજર થઈ જતા હોય છે. એટલું જ નહીં, ગુરૂ અને શુક્રવારે પણ મોડી સાંજ સુધી પોતાના કાર્યાલયમાં કામ કરતા જોઈ શકાય છે. ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારનું પરિવર્તન પણ શનિવારે રજાના દિવસે જ કરવામાં આવ્યું હતું. જેથી સચિવાલય બંધ હોય અને કોઈ મંત્રી પોતાના કાર્યાલયમાં જઈને ફાઈલોમાં ફેરફાર ન કરી શકે. તેનો અનુભવ લઈને હાલના કેટલાક મંત્રીઓએ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જ વહેલા આવીને અથવા તો મોડે સુધી રોકાઈને જે કંઈ સાફ સુફી કરવાની હતી તે લગભગ કરી નખી છે. બીજી બાજુ આવા મંત્રીઓના પીએ અને પીએસ પણ ભારે ટેન્શનમાં છે. તેઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, સાહેબની હકાલપટ્ટી તો લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. તો તેમના ગયા પછી આપણુ શું થશે. આપણને રાખશે કે પછી અહીંથી આપણી પણ વિદાય થશે ?

IAS અધિકારીની બદલીની અફવા કોણે ફેલાવી?

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા એક મહિલા IASની ગત વર્ષે બદલી થઈ હતી, ત્યારથી સતત એવી ચર્ચા છે કે તેમને હાલના ડિપાર્ટમેન્ટમાં ફાવતુ નથી. સચિવાલયમાં ચર્ચા છે કે, તેઓને તેમના ઉપરી IAS અધિકારી સાથે પણ બનતું નથી. આ મહિલા IASના આવ્યા બાદ વિભાગના મોટાભાગના કામો ખોરવાયેલા છે. જુદી જુદી અનેક સમસ્યા પર તેઓ ધ્યાન આપતા હોવાની વાત તેમના જુનિયર્સ કરી રહ્યા છે. આવા કારણોસર IASની બદલી નિશ્ચિત મનાઈ રહી હોવાની ચર્ચા પણ છે, જો કે તેના વચ્ચે છેલ્લા અઠવાડિયા દરમિયાન બે વખત મોડી રાતે એવા મેસેજ ફરતા થયા કે મહિલા IAS અધિકારીની બદલીનો સિંગલ ઓર્ડર થઈ ગયો છે. વાસ્તવમાં આ મહિલા અધિકારીની બદલીનો સરકારે હજુ સુધી કોઈ જ ઓર્ડર કર્યો નથી. આમ છતાં બે વાર એવી અફવા ફેલાવાઈ કે સરકારેઅધિકારીની બદલી કરી દીધી છે. સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, અધિકારીને તેના ડિપાર્ટમેન્ટમાં ફાવતુ નથી એ વાત સાચી છે, પરંતુ તેની સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. તો પછી તેમની બદલીની હવા ફેલાવવામાં ગાંધીનગરમાંથી કોણ રસ લઈ રહ્યું છે ?

ias.jpg

એવિયેશન પોલિસી આવશે, પણ સી પ્લેનનું શું?

ગુજરાત સરકાર દ્રારા સૌ પ્રથમવાર એવિયેશન પોલીસી લાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયા છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહી છે. બજેટ સત્ર દરમિયાન જ એવિયેશન પોલિસી જાહેર કરવાની સરકારની ઈચ્છા હતી. પણ સમયને અભાવે તે થઈ શક્યું નહીં. હવે ફરીથી આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. એવિયેશન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ એવિયેશન પોલિસીનું પ્રેઝન્ટેશન કરાયું હતું. જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી સહિત ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં નાના શહેરોમાંથી ફ્લાઈટ્સ કઈ રીતે ચાલુ થઈ શકે, ફ્રીક્વન્સી વધારીને બે શહેરોના અંતરને કઈ રીતે ઘટાડી શકાય, નવી એરસ્ટ્રીપ બનાવીને પણ મોટા પ્લેયરોને આકર્ષી શકાય તેની વાત રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીને આ પ્રેઝન્ટેશન ગમી ગયું છે. તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેના અધિકારીઓએ સંતોષપૂર્વક જવાબો આપ્યા હતા. એટલે કે, હવે સૌ પ્રથમ એવિયેશન પોલિસી જાહેર કરવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. એવિયેશન અને ઉધોગ વિભાગ દ્વારા હવે આ પોલિસીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેથી આગામી દિવસોમાં નવી એવિયેશન પોલિસીની વિધિવત્ત રીતે જાહેરાત કરી દેવાશે. જો કે, જનતાનો સવાલ એ છે કે ગુજરાતમાં ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS Updates BJP president Gandhinagar News
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ