બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 1 November 2025
જુનાગઢના વિસાવદરના શોભાવડલા ગામમાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. સગીરે તેના મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને બન્નેની લાશ દાટી દીધી હતી.
ADVERTISEMENT
ખોડિયાર આશ્રમમાં શું બન્યું?
શોભાવડલના ખોડીયાર આશ્રમમાં સગીર વયના છોકરાએ તેના મોટા ભાઈ શિવમની લોખંડની પાઈપ ફટકારીને હત્યા કરી નાખી હતી, ભાભી જોઈ જતાં તેની પણ હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
હત્યા કરીને લાશ દાટી
આરોપીએ ભાઈ અને ભાભીની હત્યા કરીને લાશ દાટી દીધી હતી. આ ખૌફનાક બનાવના 12 દિવસ બાદ સગીર અને તેની માતાએ વહુના પિતાને ફોન કરીને કહ્યું કે તમારા દીકરી-જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. અકસ્માત ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે પરંતુ પિયરવાળાએ શંકા પડતા અકસ્માતના ફોટા માગ્યા ત્યારે મામલાનો ભાંડો ફૂટ્યો હતો.
ADVERTISEMENT
12 દિવસ પહેલા હત્યા પછી ભાંડો ફૂટ્યો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ સગીર આરોપીએ આ હત્યાને 12 દિવસ પહેલા અંજામ આપ્યો હતો. પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
શું છે કારણ
ADVERTISEMENT
હત્યાકાંડ પાછળનું કારણ એવું છે કે સગીર ભાઈને દારુ પીવાની ટેવ હતી અને અવારનવાર દારુ પીને ઘરમાં ઝગડો કરતો હતો. ભાઈ-ભાભી તેને ઠપકો આપતા હતા આથી ઉશ્કેરાઈને તેણે સુતેલા ભાઈની હત્યા કરી નાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.