બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે ડોક્ટરની ચિઠ્ઠી વગર નહીં મળે આ સિરપ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આડેધડ ઉપયોગ પર લાગશે લગામ
Last Updated: 12:08 PM, 16 June 2026
Gujarat Cough Syrup Rules : દવાઓના અનિયંત્રિત ઉપયોગને અટકાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ હવે કફ સિરપ સહિત કેટલીક સિરપ આધારિત દવાઓ ફાર્મસીમાંથી ખરીદવા માટે ડૉક્ટરની માન્ય પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવી ફરજિયાત બનશે. આ પગલાનો મુખ્ય હેતુ દવાઓના દુરુપયોગ પર નિયંત્રણ લાવવાનો અને દર્દીઓમાં સુરક્ષિત દવા ઉપયોગ અંગે જાગૃતિ વધારવાનો છે.
ADVERTISEMENT
અત્યાર સુધી કેટલીક કફ સિરપ સરળતાથી ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઉપલબ્ધ હતી, પરંતુ નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફાર્માસિસ્ટ પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓ આપી શકશે નહીં. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, કફ સિરપનો બિનજરૂરી અને અતિશય ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે છે, જેના કારણે નિયંત્રણ જરૂરી બન્યું હતું.
હવે આડેધડ નહીં ખરીદી શકાય કફ સીરપ, કફ સીરપ ખરીદવા માટે જોઈશે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન#CoughSyrup #Prescription #Health #Medical #India #VTVDigital pic.twitter.com/27eh2fmQ7g
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2026
ADVERTISEMENT
આ નિર્ણય પછી ફાર્મસી સંચાલકોને પણ ખાસ સાવધાની રાખવી પડશે. કફ સિરપ અથવા અન્ય નિર્ધારિત સિરપ આધારિત દવાઓ વેચતા પહેલાં દર્દી પાસે યોગ્ય પ્રિસ્ક્રિપ્શન છે કે નહીં તેની ચકાસણી કરવી ફરજિયાત રહેશે. નિયમના ઉલ્લંઘન સામે સંબંધિત કાર્યવાહી પણ થઈ શકે છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ શું કહ્યું ?
ADVERTISEMENT
પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના ઉપયોગ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મહત્વપૂર્ણ અપીલ કરતાં જણાવ્યું છે કે, દર્દીઓએ ક્યારેય પણ ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી જોઈએ નહીં. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે, ઓનલાઈન માધ્યમથી દવાઓ મંગાવવાને બદલે માત્ર રજિસ્ટર થયેલી અને અધિકૃત મેડિકલ સ્ટોરમાંથી જ દવાઓ ખરીદવી જોઈએ. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સમયાંતરે દવાઓના સુરક્ષિત ઉપયોગ અંગે પરિપત્રો અને માર્ગદર્શિકા જાહેર કરે છે, જેના પાલનથી દર્દીઓના સ્વાસ્થ્યની વધુ સારી રીતે સુરક્ષા થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ દવા લેવાની આદત આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, તેથી દરેક દર્દીએ ડૉક્ટરની માન્ય પ્રિસ્ક્રિપ્શનના આધારે જ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
ADVERTISEMENT

આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ ડૉક્ટરની સલાહ વગર કોઈપણ દવા લેવાનું ટાળે. ખાસ કરીને ઓનલાઈન અથવા અજાણ્યા સ્ત્રોતોથી દવાઓ મંગાવવાને બદલે નોંધાયેલ અને અધિકૃત મેડિકલ સ્ટોરમાંથી જ દવાઓ ખરીદવી જોઈએ. યોગ્ય નિદાન અને તબીબી માર્ગદર્શન વિના દવાનો ઉપયોગ કરવાથી આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થા દર્દીઓની સુરક્ષા વધારશે, દવાઓના બેફામ ઉપયોગને રોકશે અને જવાબદાર દવા વપરાશની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે. આરોગ્ય નિષ્ણાતો પણ આ પગલાને જાહેર આરોગ્યના હિતમાં મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.