બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવા ફેલાવતા લોકો ચેતી જજો, રાજકોટમાં પ્રથમ ફરિયાદ
Last Updated: 08:37 PM, 24 March 2026
Rajkot Petrol Shortage : રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો. હવે આ મામલે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ થઈ છે અને અફવા ફેલાવવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ Indian Oil Corporation Limitedના રાજકોટ સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
ફરિયાદ અનુસાર, કંપની પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હોવા છતાં ગોપાલ ચુડાસમાએ પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટી ગયું હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બહાર આવતા જ શહેરમાં લોકોમાં ગભરાટ ફેલાયો અને ઘણા લોકોએ પેટ્રોલ પંપ પર દોડધામ કરી દીધી.

ADVERTISEMENT
પરિણામે, શહેરના અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. લોકોમાં ભય ફેલાતા ઘણા લોકોએ જરૂરી કરતાં વધુ ઇંધણ ભરાવવાનું શરૂ કર્યું, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રકારનું ખોટું નિવેદન લોકોમાં ગેરસમજ ફેલાવે છે અને અનાવશ્યક પેનિક સર્જે છે. તેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે અફવા અથવા અધૂરી માહિતી ફેલાવવાથી સમાજમાં ગેરવ્યવસ્થા ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.