બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat cabinet including CM will go to Ayodhya tomorrow
Vishal Khamar
Last Updated: 03:11 PM, 1 March 2024
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રી મંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યા છે. આવતીકાલે અયોધ્યા દર્શને જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્ય જશે.
મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા
રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં રામ લલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત અને ભક્તિમાં ડૂબેલા દેખાતા હતા. 10 બસમાં આવેલા ધારાસભ્યો અને મંત્રીઓને રામજન્મભૂમિના ગેટ નંબર 11માંથી એન્ટ્રી આપવામાં આવી હતી.
વધુ વાંચોઃ ગુડ ન્યુઝ: હવે કચ્છીઓ ડાયરેક્ટ ભુજથી મુંબઈ જઇ શકશે, એ પણ બાય ફ્લાઇટ, આજથી સર્વિસનો શુભારંભ
10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિષેક સમારોહ પછીના પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું, 'ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ ભક્તો રામ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા. અત્યાર સુધી મંદિરમાં આવનારા ભક્તોની અંદાજિત સંખ્યા 50-60 લાખ છે. મંદિર તરફ ચાલતી વખતે કેટલાક ભક્તો 'જય શ્રી રામ' ના નારા લગાવે છે, જ્યારે કેટલાક અન્ય ભક્તો મંદિર તરફ ચાલતી વખતે રામચરિત માનસના ગીતો ગાય છે. મોટાભાગના લોકો તેમના જૂથ સાથે ખુલ્લા પગે ચાલે છે. મંદિરની અંદર ચડાવવામાં આવતી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ વેચતી નાની દુકાનો પણ રસ્તાના કિનારે વ્યસ્ત છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh