બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'નશાબંધી નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો', ભાજપના આગેવાન મહેશ દવેના આક્ષેપ
Last Updated: 09:29 AM, 18 July 2025
Banaskantha Molasses Scam : બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસકાંઠાના ભાજપના આગેવાન મહેશ દવેએ ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક પર ગંભીર આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ મહેશ દવેએ આક્ષેપ કર્યો છે કે, નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ દવેએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને IAS એમ કે દાસને લેખિત અરજી કરી છે. આ સાથે લેખિત અરજી કરી યોગ્ય તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના ભાજપના આગેવાન મહેશ દવેએ આક્ષેપ કર્યો છે કે, કેતન દેસાઈએ અંગત ફાયદા માટે રેવન્યુ આવકને ચુનો લગાવ્યો છે. જેમાં મોલાસીસના ટેન્કરો ગેર કાયદેસર પસાર કરી સરકારને ચૂનો ચોપડ્યો છે. આ સાથે મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાયના નિયમોનો ભંગ કરી કેતન દેસાઈને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. આ સાથે સરકાર ઓપરેશન ગંગાજળ અંતર્ગત કેતન દેસાઈ સામે તપાસ કરવા માગ કરી છે. મહત્વનું છે કે, મહેશ દવેએ ગાંધીનગરથી દિલ્હી સુઘી અરજી કરી તપાસની માંગ કરી છે.
ભાજપ આગેવાનનો નશાબંધી વિભાગના અધિકારી પર ગંભીર આરોપ, જુઓ શું કહ્યું#bjpgujarat #alcohol #gujaratinews #vtvdigital pic.twitter.com/T27kgYUaco
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2025
ADVERTISEMENT
મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદે પસાર કરાવ્યા
બનાસકાંઠાના આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામકે બનાસકાંઠા જિલ્લામાંથી ખોટા દસ્તાવેજો બનાવી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદે પસાર કરાવી સરકારને રૂ.1000 કરોડનો ચૂનો ચોપડ્યો છે. તેમણે કહ્યું કે, કેતન દેસાઈએ ખોટા દસ્તાવેજો બનાવી, પરવાનગી ન હોવા છતાં એનઓસી આપી, ટેન્કર સાથે એકના એક પોલીસ કર્મીને દર્શાવી બનાસકાંઠાની બોર્ડર પરથી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદેસર રીતે પસાર કરાવી સરકારને 1000 કરોડનો ચૂનો ચોપડ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : પાટણથી પોરબંદર અને બનાસકાંઠાથી બોટાદ સુધી થશે મેઘમહેર, આજે અહીં પડશે વરસાદ
ADVERTISEMENT
શું કહ્યું છે અરજીમાં ?
ભાજપના આગેવાન મહેશ દવેએ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગર નશાબંધી નાચબ નિયામક કેતન દેસાઇએ પોતાના અંગત નાણાકોય લાભ સારૂ મોલાસીસના વેપારીઓને ફાયદો કરી આપવા ભ્રષ્ટાચાર આચરી એક બીજાના મેળાપીપણાથી કાવતરું રચી અનેક ગેરરીતિઓ કરવા મુંબઈ મોલાસીસ નિયમો 955 મુંબઈ મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાય નિયમો 1959 નશાબંધી અધિનિયમ 949ની કલમોનો ભંગ કરી કારાવી મોલાસીસ ઈમ્પોર્ટ-એક્ષપો્ટ સેલ કરવા મંજુરી આપતા સરકારને અંદાજીત રૂ. 1000 કરોડ (1 હજાર કરોડ) રૂપિયા કરતા વધારે રકમ રેવન્યુની બદઈરાદાથી નુકસાન કર્યું છે. આ સાથે આવા અધિકારી સામે ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ પ્રોજેકટ હેઠળ તપાસ કરવા માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.