બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે મણિનગર રેલવે ક્રોસિંગના ટ્રાફિકથી અમદાવાદીઓને મળશે છૂટકારો, જાણો કેમ
Last Updated: 01:03 PM, 2 January 2026
Maninagar Overbridge : અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહનચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મણિનગરના દક્ષિણી રેલવે ફાટક લાંબા સમયથી સ્થાનિક લોકો માટે ભારે પરેશાનીનું કારણ છે. દિવસના મોટા ભાગમાં ફાટક બંધ રહેવાના કારણે રોજિંદા ટ્રાફિક જામ સામાન્ય બાબત બની ગઈ હતી.
ADVERTISEMENT
ખાસ કરીને એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને ઓફિસ જતાં લોકો કલાકો સુધી અટવાતા હતા. જોકે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મણિનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ ઓવરબ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે.
કેમ છે દક્ષિણી ક્રોસિંગ સૌથી મોટી સમસ્યા?
ADVERTISEMENT
દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થાય છે. એટલે કે લગભગ દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થાય છે, જેના કારણે ફાટક વારંવાર બંધ રહે છે. પરિણામે દિવસના 24 કલાકમાંથી લગભગ 20 કલાક ફાટક બંધ રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે.
ઓવરબ્રિજથી લોકોને શું મળશે ફાયદો?
ADVERTISEMENT
ઓવરબ્રિજ બન્યા બાદ મણિનગર, ઘોડાસર, ઈસનપુર અને વટવા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ અને ઝડપી બનશે. સતત ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે અને ઈમરજન્સી સેવાઓ સરળતાથી પસાર થઈ શકશે.
પ્રોજેક્ટની મુખ્ય વિગતો
ADVERTISEMENT
બાંધકામ દરમિયાન થનારી મુશ્કેલીઓ
ADVERTISEMENT
ઓવરબ્રિજનું બાંધકામ ચાલું રહેશે ત્યારે વાહનચાલકોને 3 થી 4 કિલોમીટર લાંબા ડાયવર્ઝનનો સહારો લેવો પડશે. એલ.જી. બ્રિજ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધશે. રસ્તા પર બેરિકેડિંગ થવાથી સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ થોડી અસર પડશે. સાથે સાથે ખોદકામ અને મશીનરીને કારણે ધૂળ અને અવાજનું પ્રદૂષણ વધવાની શક્યતા છે.

ADVERTISEMENT
ત્રણ રેલવે ક્રોસિંગ પર બનશે ઓવરબ્રિજ
મણિનગર ક્રોસિંગ નંબર 308 ઉપરાંત પુનિતનગર ક્રોસિંગ 307 અને વિંઝોલ ક્રોસિંગ 305 પર પણ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક ઉપરનો ભાગ રેલવે વિભાગ દ્વારા તૈયાર કરાશે, જ્યારે એપ્રોચ રોડ અને બાકીનું બાંધકામ AMC સંભાળશે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદન, સર્વે અને પ્રારંભિક પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.