બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / Green potatoes can cause many health related problems
Kishor
Last Updated: 11:06 PM, 4 January 2024
આમ તો બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. કારણ કે બટાકા એવુ શાક છે કે જે બધા શાકમાં ભળી જાય છે. એટલા માટે જ બટાકાને રાજા કહેવામાં આવે છે. એમાં પણ અત્યારના સમયમાં બટાકાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જો ઘરમાં કોઈ લીલુ શાકભાજી ન હોય તો બટેટાનું શાક અથવા તો બટાકાના ભજીયા બનાવીને ખાવામાં આવે છે. બટેટાને છોલતી વખતે ઘણી વખત આપણે એવું જોયું હશે કે બટાકુ લીલુ દેખાઈ છે. ઘણા બટાકા તો આખા લીલા રંગના હોય છે. જ્યારે કેટલા બટાકાનો ભાગ થોડો એવો લીલો હોય છે. તો શું તમે પણ આ આલુ ખાઈ લો છો? જો હા તો તમને જણાવી દયે કે લીલા રંગનું બટાકા ખાવુ એ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક હોય છે.ત્યારે આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ આ વિશે શું કહે છે.
ઉલ્ટીનું કારણ બની શકે છે
ન્યુટ્રિશનિસ્ટ આ વિશે કહે છે કે લીલા રંગના બટાકા આપણા સ્વાસ્થય માટે બિલકુલ સારા નથી. બટાકામાં લીલો રંગ ત્યારે આવે છે કે જ્યારે તેમાં glycoalkoloid નામનો કમ્પાઉન્ડ જેે સોલનિન કહેવાય છે તે વધારે હોય છે. જો તમે આ લીલા રંગનું બટાકા વધારે ખાવ છો તો તમારૂ પેટ ખરાબ થઈ શકે છે. આ સામાન્ય રીતે ટોક્સિક હોય છે.. જેનું સેવન કરવાથી તમને ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને બેચેનીનો અનુભવ થાય છે. એમાં પણ જો તમે વારંવાર ખાવ છો તો તમને ઝાડાની સમસ્યા થઈ શકે છે. એવામાં આપણે લીલા રંગનુ બટેટુ બિલકુલ ન ખાવુ જોઈએ. સોલોનિન આપણા શરીરમાં જાય તો તે ઉલ્ટીનું કારણ બની શકે છે.
કેન્સર થવાની સમસ્યા પણ વધી શકે છે
ઘણા કેસમાં જ્યારે લીલા રંગના બટાકાનું વધારે પડતું સેવન થઈ જાય તો પાચનની સમસ્યા અને ફુડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી વખત તે સોલાનિન માથાનો દુખાવો અને બેચેનીનું કારણ પણ બની શકે છે.જો તમે સતત લીલા રંગનું બટાકા ખાવ છો તો કેન્સર થવાની સમસ્યા પણ વધી શકે છે. સારૂ એ જ રહેશે સ્વાસ્થ્ય માટે કે તમે લીલા રંગનાં બટાકા ખાવાથી બચવું જોઈએ.
સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે
લીલા રંગના બટાકાનો સ્વાદ પણ થોડો કડવો હોય છે.જે એક ટોક્સિનની નિશાની છે.. છતા પણ આપણે લીલા રંગના બટાકા ખાઈએ છીએ. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.. જેથી બટેટા હંમેશા સારી ગુણવત્તાવાળા ખાવા જોઈએ.. જ્યારે પણ બટેટું કાપતી વખતે બટાકા લીલા રંગનું જણાઈ તો તેને ફેંકી દેવા જોઈએ.
બટાકામાં આ પોષક તત્વો હોય છે
બટાકામાં પોટેશિયમ, વિટામીન C, B6, K, ફાઈબર, નિયાસિન, થાઈમીન, રિબોફ્લેવિન વગેરે હોય છે. પોટેશિયમ, ફાઈબર હૃદય અને પાચન તંત્ર માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.. બટેટામાં વધારે માત્રામાં કોલેસ્ટ્રોલ હોતું નથી. આમ લીલા રંગનું બટાકા ખાવાથી આપણે બચવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો