આધારને લઈને લોકોને કોઈ મુશ્કેલી ન પડે, તેથી સરકાર સમયાંતરે નવા નિયમો લાવતી રહે છે અને હવે ફરી એકવાર આધારના ઓફલાઈન વેરિફિકેશનને લઈને નવો નિયમ આવ્યો છે.
ઑફલાઇન વેરિફિકેશન સરળ બનશે
સરકાર નવો નિયમ લાવી
કાર્ડ ધારકની માહિતી સંગ્રહિત કરવામાં આવશે નહીં
આધાર વેરિફિકેશન ઑફલાઇન કરાવી શકો છો.
ભારતમાં આધાર કાર્ડ હોવું કેટલું જરૂરી છે તે વિશે તમે બધા જાણતા જ હશો. આધાર કાર્ડની મદદથી આજે દેશમાં દરેક કામ થઈ શકે છે અને જો તેમાં કોઈ માહિતી ખોટી હોય તો તમારું કામ અધવચ્ચે જ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે હવે આધાર વેરિફિકેશનને લઈને એક નવો નિયમ જારી કર્યો છે, જે મુજબ હવે તમે ઇચ્છો તો આધાર વેરિફિકેશન ઑફલાઇન કરાવી શકો છો.
નવો નિયમ શું છે
આધારના વેરિફિકેશનને લઈને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમ અનુસાર હવે તમારે આ પ્રક્રિયા માટે ડિજિટલ હસ્તાક્ષરનો દસ્તાવેજ આપવો પડશે. આ દસ્તાવેજ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)માંથી બનાવી શકાય છે. આ ડિજિટલ સિગ્નેચર ડોક્યુમેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર તમારા આધારના છેલ્લા 4 અંકો લખેલા હશે.
આધાર ધારક પાસે ઓફલાઈન ઈ-કેવાયસી સબમિટ કરવાનો વિકલ્પ છે,
સરકાર દ્વારા જાહારે કરાયેલા નવા નિયમ મુજબ, આધાર ધારક પાસે આધાર વેરિફિકેશન માટે કોઈપણ અધિકૃત એજન્સીને પોતાનું ઓફલાઈન ઈ-કેવાયસી સબમિટ કરવાનો વિકલ્પ છે, ત્યારબાદ એજન્સી ગ્રાહકના આધાર નંબર અને અન્ય માહિતી કેન્દ્રીય ડેટાબેઝને મોકલશે. એકસાથે ભેળવી દેવામાં આવે છે અને પછી જો આ માહિતી સાચી જણાય તો આ સમગ્ર પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે.
શું ફાયદો છે
તમને જણાવી દઈએ કે આ ઑફલાઇન ઇ-કેવાયસી ગ્રાહકોને ફાયદો કરે છે કે વેરિફિકેશન એજન્સીને તમારો ઇ-કેવાયસી ડેટા સ્ટોર કરવાથી રોકી શકાય છે. ઑફલાઇન ચકાસણીના ઘણા પ્રકારો છે જેમાં ઑફલાઇન પેપર આધારિત વેરિફિકેશન, QR કોડ વેરિફિકેશન, આધાર પેપરલેસ ઑફલાઇન ઇ-કેવાયસી વેરિફિકેશન અને ઇ-આધાર વેરિફિકેશન વગેરેનો સમાવેશ થાય છે.