`જીવન મળ્યુ મજા છે,
કોણે કહ્યુ સજા છે,
ઈશ્વર સતત છે કાર્યરત
તો હું કેમ કહું કે રજા છે'
આવીજ ફરજ વલસાડમાં એક મુરતિયાએ નીભાવી છે. મહામારીમાં જયારે માણસ અમથુય ઘરની બહાર નીકળતા ડરતુ હોય ત્યારે આવી ઘટના રેર ઓફ ધી રેર કહેવાય. ગૌરાવ પટેલ નામના યુવાને પણ આવી જ એક મિસાલ કાયમ કરી છે.
ગૌરવ પટેલ નામના કર્મચારીએ કર્તવ્ય નિષ્ઠા પર ઓવારી જવાની ઈચ્છા થઈ આવે કેમ કે, ગૌરવના લગ્ન લીધા હતા અને તેને લગ્નની પીઠી ચોળી દેવામાં આવી હતી પરંતુ તેમ છતાં આટ આટલી મહામારીમાં પણ આ કર્મનીષ્ઠ માણસે પીઠી ચોળેલી હાલતમાં પણ સ્મશાનમાં જઈને ફરજ નિભાવી હતી.
લગ્નના દિવસે પણ ફરજ બજાવવા પહોંચ્યો
ગૌરવ પીઠીવાળા કપડામાં જ સ્મશાન પહોંચ્યો હતો અને પરંપરા અનુસાર મૃતદેહને અંતિમ વિધી આપી હતી. મૃતદેહોને અગ્નિ સંસ્કાર બાદ લગ્ન વિધિમાં જોડાયો હતો.