બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gandhi Ashram Redevelopment project Ahmedabad
Kiran
Last Updated: 11:41 AM, 28 October 2021
ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે જેમાં ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને 55 એકરની જમીનમાં અલાયદી જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના સમાધિસ્થળનો પણ વિકાસ કરવામાં આવશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવન વગેરેનો પણ વિસ્તાર કરવામાં આવશે.
ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્વ ધરાવતી ધરોહર
હવે જ્યારે ગાંધી આશ્રમ ખાતે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાનાર છે એવામાં આ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે આ અરજી ગાંધીજીના પ્રપૌત તુષાર ગાંધી દ્વારા કરવામાં આવી છે જેમાં ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અરજીમાં કહેવાયું છે કે, ગાંધી આશ્રમ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ધરોહર છે, તેના રિડેવલપમેન્ટ કરી શકાય નહિ. લાખો લોકોના ગાંધીજી સાથેના ઐતિહાસિક સંસ્મરણો ધરાવતા આશ્રમની કાયાપલટ કરી શકાય નહિ એટલું જ નહીં ગાંધી આશ્રમનું ઓરિજનલ સ્વરૂપ બદલાશે તો લાખો ગાંધીવાદીઓની લાગણીઓ પણ દુભાઈ શકે છે. આ ઉપરાંત જાહેરહિતની અરજીમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે, આશ્રમમાં લગભગ 7 દાયકાથી રહેતા આશ્રમવાસીઓને અન્યત્ર જગ્યાએ ખસેડવાનો નિર્ણય પણ ગેરબંધારણીય છે. મૂળ ધરોહરને તેના મૂળ સ્વરૂપથી અલગ બનાવાતાં તેનં મૂલ્ય ઘટી જશે. આશ્રમનું રિડેવલપમેન્ટ કરવાથી ગાંધીજી દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોનું જ હનન થયું ગણાશે. આ અંગેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી હાઈકોર્ટમાં અરજી
આશ્રમનું રિડેવલપમેન્ટ કરવા મુદ્દે કરાયેલી અરજીમાં તુષાર ગાંધીએ કહ્યું છે કે, ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા 6 ટ્રસ્ટો પણ ગાંધીજીના સિદ્ધાંતો માટે કોઈ લડત આપી રહ્યા નથી. આ અરજીમાં 6 ટ્રસ્ટોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તુષાર ગાંધીએ વધુમાં કહ્યું છે કે સરકાર આ આશ્રમને પોતાને હસ્તક કરી રહી છે તે તદ્દન ગેરકાયદે છે. સરકાર ગાંધી આશ્રમમાં હસ્તક્ષેપ પણ ન કરી શકે તેવું તેના બંધારણમાં ઠેરવ્યું છે છતાં સરકાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. ગાંધીજી પોતે હયાત હોત તો તે પણ ઉપવાસ ઉપર બેઠા હોત. તેઓ સાદગીના આગ્રહી હતા તેમના વિચારોથી વિપરીત સરકાર નિર્ણય લઇ રહી છે તે યોગ્ય નથી.
સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોડેક્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો