બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / from 1st june 2020 modi government scheme new scheme for ration card know what changed
Noor
Last Updated: 12:47 PM, 30 May 2020
ADVERTISEMENT
કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, અત્યાર સુધીમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઓડિશા, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા વધુ ત્રણ રાજ્યો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 1 જૂનથી રાશનકાર્ડ પોર્ટેબિલિટી શરૂ કરવા માટે કુલ 20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો તૈયાર થશે.
ઓળખકાર્ડથી ઓળખ કરવામાં આવશે
ADVERTISEMENT
આ યોજના હેઠળ પીડીએસના લાભાર્થીઓને તેમના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (PoS) ડિવાઇસથી ઓળખવામાં આવશે. આ યોજનાને દેશભરમાં લાગુ કરવા માટે, પીડીએસ મશીનો તમામ પીડીએસ દુકાનો પર લગાવવામાં આવશે. જેમ-જેમ રાજ્યો પીડીએસ શોપ પર 100% પીઓએસ મશીનો અહેવાલ આપે છે, તેમ તેમ, 'એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ' યોજનામાં શામેલ કરવામાં આવશે.
જૂના કાર્ડથી પણ મળશે રાશન
આ યોજનાના અમલ પછી લાભાર્થીઓ દેશના કોઈપણ ભાગમાં કોઈપણ રાશન ડીલર પાસેથી તેમના કાર્ડ પર રાશન લઈ શકશે. આ લોકોએ ન તો જૂનું રાશનકાર્ડ પરત આપવું પડશે, ન તો નવી જગ્યાએ રાશનકાર્ડ બનાવવું પડશે.
રાશનકાર્ડ બે ભાષાઓમાં આપવામાં આવશે
સ્ટાન્ડર્ડ રાશનકાર્ડ બે ભાષાઓમાં આપવું. એક સ્થાનિક ભાષા તેમજ બીજી હિન્દી અથવા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરો.
ભારતનો કોઈપણ નાગરિક રાશનકાર્ડ માટે એપ્લાય કરી શકે
ભારતનો કોઈપણ કાનૂની નાગરિક આ રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતાપિતાના રાશનકાર્ડમાં ઉમેરવામાં આવશે. આ રાશનકાર્ડ ધારકોને 3 રૂપિયાના દરે 5 કિલો ચોખા અને 2 રૂપિયા કિલો ઘઉં મળશે.
રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
જો તમે ઓનલાઇન રાશનકાર્ડ માટે અરજી કરી રહ્યા છો તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.