બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / સ્પોર્ટસ / Cricket / Former Pakistani cricketer gave statement on Ram Temple; won hearts by sharing picture
Megha
Last Updated: 01:14 PM, 19 January 2024
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ માટે અયોધ્યા શહેરમાં ધાર્મિક વિધિઓ ચાલુ છે. પાકિસ્તાનનો એક પૂર્વ ક્રિકેટર પણ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. અયોધ્યા રામ મંદિર પર તે પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન આવ્યું છે. જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે.
मेरे रामलला विराजमान हो गए 😍 pic.twitter.com/mZX1jpLlT9
— Danish Kaneria (@DanishKaneria61) January 19, 2024
વાત એમ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને અનુભવી સ્પિનર દાનિશ કનેરિયાએ રામલલાની તસવીર શેર કરી છે. તેણે લખ્યું, 'મારા રામલલા બિરાજમાન થઈ ગયા છે.' જોકે, આ પહેલીવાર નથી જ્યારે કનેરિયાએ રામ મંદિર પર પ્રતિક્રિયા આપી હોય. રવિવારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એક દિવસની વિશેષ રજા આપવા બદલ એમને મોરેશિયસ સરકારનો પણ આભાર માન્યો હતો.
આ પહેલા પણ દાનિશ કનેરિયાએ X પર પોસ્ટ કર્યું હતું કે, ભગવાન રામની સુંદરતા તેમના નામમાં નહીં પણ તેમના પાત્રમાં છે. તે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આજે સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છે. આ ખૂબ જ ખુશીની ક્ષણ છે.
દાનિશ કનેરિયાની ક્રિકેટ કારકિર્દીઃ
પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ 61 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે અનુક્રમે 261 અને 15 વિકેટ લીધી છે. દાનિશે ટેસ્ટમાં બે વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સિવાય તેણે 15 વખત 5 વિકેટ લીધી છે. એમને વર્ષ 2014માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog