બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યા સંન્યાસના સંકેત, કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો, ચૂંટણી નહીં લડું
Last Updated: 02:07 PM, 7 October 2025
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓમાંના અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ હવે કોઈપણ ચૂંટણી લડશે નહીં અને પાર્ટીને તેમની CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી)ની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
દિવસ-રાત મજૂરી કરી શકે એવા ચહેરાઓને તક આપવાની કરી વાત
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, હું કોંગ્રેસ માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ, પણ હવે યુવા અને દિવસ-રાત મહેનત કરનારા કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.

ADVERTISEMENT
છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ: જગદીશ ઠાકોર
તેમણે રાહુલ ગાંધી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, રાહુલભાઇએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. હું તેમની કદર કરું છું અને તેમનો ઋણી છું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃગુજરાત શિક્ષણ વિભાગનો વિભાગનો મોટો નિર્ણય, ધો. 11-12માં વૈકલ્પિક વિષયો પસંદ કરી શકાશે!
હું કોઈ પણ ચૂંટણી નહી લડું એવો નિર્ધાર મે કર્યો છે: જગદીશ ઠાકોર
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે ઉમેર્યું કે, મેં સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે હવે કોઈપણ ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે મારી ભૂમિકા નહીં હોય. હવે મજૂરી કરી શકે એવા ચહેરાઓને આગળ લાવવાનો સમય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.