બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતીય રમતજગત માટે માઠા સમાચાર છે. ભારતનાં ફૂટબોલ પ્રેમીઓને નિરાશા થાય એવું એક પગલું ફિફા દ્વારા લેવામાં આવ્યું છે. ફૂટબોલની રમતનું નિયમન કરતી સંસ્થા એટલે કે FIFA દ્વારા ભારતનાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFA) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
શું છે કારણ ?
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન ને ફિફા દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે.
ADVERTISEMENT
મહિલા વર્લ્ડકપની યજમાની છીનવાઇ
જો કે સૌથી મોટો ફટકો તો એ વાતનો પડશે કે ઓકટોબરમાં ભારતમાં રમાનાર અંડર-17 મહિલા વર્લ્ડકપ 2022ની યજમાની પણ ભારત પાસેથી છીનવાઇ ગઈ છે.
ADVERTISEMENT

FIFA નું નિવેદન
ADVERTISEMENT
FIFA એ પોતાનાં સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ફિફા નાં બ્યૂરોએ સર્વસંમતિથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને 'અયોગ્ય અસ્તક્ષેપનું' કારણ આપણી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે આ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે.
સસ્પેન્શન કઈ રીતે દૂર થઈ શકે?
ADVERTISEMENT
ફિફાએ સસ્પેન્શન હટાવવા મુદ્દે કહ્યું હતું કે એઆઈએફએફ એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિનાં પાવર્સ મેળવવા માટે પ્રશાસકોની એક સમિતિ બનાવ્યા બાદ આદેશ અનુસાર અને દૈનિક કેસ પર કમ્પ્લીટ કંટ્રોલ મેળવ્યા બાદ જ સસ્પેન્શન હટાવવામાં આવશે.
.jpg)
ADVERTISEMENT
ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીનું નિવેદન
દેખીતી વાત છે કે તાજેતરમાં જ ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ સસ્પેન્શનને લઈને મોટું નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે સાથી ખેલાડીઓએ ફિફાની ચેતવણીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર છેતરીએ પોતાનાં ટીમનાં ખેલાડીઓ સાથે માત્ર પોતાની રમત ઉપર ધ્યાન આપવા અંગે વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.