બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / EPFO to take call on interest rate for 2021-22 in March meeting
Hiralal
Last Updated: 06:07 PM, 13 February 2022
સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચ પગારદાર કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર પીએફના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની આગામી મહિને એટલે કે માર્ચમાં થનારી બેઠકમાં 2021-22ના પીએફ જમા પર વ્યાજનો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં 2021-22 માટે પીએફ જમા પર મળનાર વ્યાજ દર વધારી શકે છે. જો પીએફ જમા પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તો તેનો લાભ 24 કરોડ લોકોને થઈ શકે છે.
માર્ચમાં આસામના ગુવહાટીમાં EPFOની મોટી બેઠક, વ્યાજ વધારાનો લેવાઈ શકે નિર્ણય
આગામી માર્ચમાં વ્યાજ વધારા મુદ્દે આસામના ગુવહાટીમાં EPFOની મોટી બેઠક યોજાશે.કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે પણ જણાવ્યું છે કે માર્ચમાં આ બેઠક મળવાની છે જેમાં વ્યાજ વધારો કરવો કે હાલના વ્યાજ દરો જાળવી રાખવા તે સંબંધિત નિર્ણય લેવાશે જે પણ કરાશે તે કર્મચારીના હિતમાં કરાશે.
2021-22 માટે વ્યાજ દર વધારવાનો સરકારનો પ્રસ્તાવ
કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે EPFOની બેઠક માર્ચ મહિનામાં આસામન ગુવહાટીમાં થશે તેમાં 2021-22 માટે વ્યાજ દર નક્કી કરવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે 2021-22 માટે પણ 8.5 ટકા વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય આગામી વર્ષની આવકના અનુમાનને આધારે કરવામાં આવશે.
હાલમાં 8.5 ટકા મળે છે વ્યાજ
EPFOએ માર્ચ 2021માં પીએફ જમા પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. નાણામંત્રી સીતારામણે ઓક્ટોબર 2021માં આ મુજબનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ EPFOએ 8.5 ટકા વ્યાજ જમા કરવાનું શરુ કર્યું હતું.
નાણામંત્રાયની મંજૂરી જરુરી
EPFO વતી વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ તેને મંજૂરી અર્થે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તે લાગુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime