બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / PF ખાતાધારકો માટે ખુશખબર! ક્લેમ કર્યા વગર જ મળશે આખા પૈસા, જાણો ક્યારે આવશે રિફંડ
6 ફોટો ગેલેરી
Last Updated: 02:26 PM, 29 July 2026
1/6
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) લાંબા સમયથી અનક્લેમ રહેલા PFના પૈસા સાચા હકદાર સુધી પહોંચાડવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકી રહ્યું છે. નવા ઓટોમેટિક રિફંડ સિસ્ટમ હેઠળ યોગ્ય ખાતાધારકોને કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ક્લેમ કરવાની જરૂર રહેશે નહીં. EPFO આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં વ્યાજ સહિતની રકમ સીધી જમા કરશે. પ્રથમ તબક્કા માટે 1.18 લાખ નિષ્ક્રિય ખાતાઓની ઓળખ અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
2/6
અત્યાર સુધી જૂના અથવા નિષ્ક્રિય PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકે પોતે ક્લેમ કરવો પડતો હતો. હવે નવી ઓટોમેટિક સિસ્ટમ હેઠળ EPFO પોતે જ આવા ખાતાઓની ઓળખ કરશે. આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આથી લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે.
3/6
શ્રમ અને રોજગાર મંત્રાલયે 23 ફેબ્રુઆરી 2026ના રોજ આ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. શરૂઆતમાં એવા નિષ્ક્રિય PF ખાતાઓને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ₹1,000 અથવા તેનાથી ઓછી રકમ જમા છે. હાલમાં આવા આશરે 7.11 લાખ ખાતાઓની ઓળખ કરવામાં આવી છે જેમાં કુલ ₹30.52 કરોડની અનક્લેમ રકમ પડેલી છે. તેમાંથી 1.18 લાખ ખાતાઓનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે.
4/6
આ સમગ્ર પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે EPFOએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આધાર સાથે જોડાયેલા PF ખાતાનું એક્ટિવ બેંક ખાતા સાથે મિલાન કરવામાં આવ્યું છે. ખાતાની ચકાસણી માટે પ્રતીકાત્મક રીતે ₹1 ટ્રાન્સફર કરીને બેંક ખાતાની વિગતો વેરિફાય કરવામાં આવી છે. ત્યારબાદ જ ઓટોમેટિક રિફંડની પ્રક્રિયા આગળ વધશે.
5/6
EPFOના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની જવાબદારી C-DACને સોંપવામાં આવી છે. નવા સિસ્ટમમાં 'સિસ્ટમ જનરેટેડ ક્લેમ' ફીચર ઉમેરવામાં આવશે. તેના દ્વારા નિષ્ક્રિય ખાતાઓનું ક્લેમ આપમેળે પ્રોસેસ થશે. આ IT અપગ્રેડનું કામ ઓગસ્ટના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ ખાતાધારકોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાનું શરૂ થશે.
6/6
જો ₹1,000 સુધીની રકમ ધરાવતા ખાતાઓ માટેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો સરકાર તેને મોટા પાયે લાગુ કરશે. ત્યારબાદ ₹1,000થી વધુ રકમ ધરાવતા આશરે 24.76 લાખ નિષ્ક્રિય PF ખાતાઓમાં પણ ઓટોમેટિક રિફંડ આપવામાં આવશે. છેલ્લા બે દાયકામાં નોકરી બદલ્યા બાદ PF ટ્રાન્સફર ન કરાવવાના કારણે લગભગ 31.86 લાખ નિષ્ક્રિય ખાતાઓમાં અંદાજે ₹10,903 કરોડની અનક્લેમ રકમ અટવાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ