બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા સામે જોખમ, બે મોટા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ નડી જશે!
Last Updated: 02:56 PM, 29 July 2026
અમદાવાદને મળેલા વિશ્વ વિરાસત શહેરના દરજ્જા અંગે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શહેરના વિશ્વ વિરાસત વિસ્તારની અંદર હાથ ધરાયેલા બે મોટા બાંધકામ પ્રોજેક્ટ નિષ્ણાતોની ચેતવણી છતાં અને ફરજિયાત વિરાસત અસર મૂલ્યાંકન (Heritage Impact Assessment) વિના પૂર્ણ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કમિટીએ કર્યો છે. યુનેસ્કોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારના ઉલ્લંઘન ચાલુ રહેશે તો અમદાવાદને વિશ્વ વિરાસતની જોખમ યાદીમાં મૂકવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT

આ મુદ્દાની ચર્ચા દક્ષિણ કોરિયાના બુસાનમાં ૧૯થી ૨૯ જુલાઈ દરમિયાન યોજાયેલી યુનેસ્કોની ૪૮મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં અમદાવાદની મુલાકાતે આવેલા સંયુક્ત પ્રતિક્રિયાત્મક નિરીક્ષણ મિશનના અહેવાલની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કમિટીના જણાવ્યા અનુસાર દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટિલેવલ પાર્કિંગની કામગીરી વ્યાપક હેરિટેજ અસર મૂલ્યાંકન (HIA) કર્યા વિના પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩ના ટેક્નિકલ રિવ્યૂમાં આ પ્રોજેક્ટ અંગે ચેતવણી આપવામાં આવી હતી કે તે શહેરના અસાધારણ વૈશ્વિક મૂલ્ય પર સ્પષ્ટ, સીધી અને લાંબા ગાળાની નકારાત્મક અસર કરી શકે છે. તેમ છતાં બાંધકામ આગળ વધારવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાળા કે ગોરા નહીં, ધરતી પર જન્મ્યા હતા વાદળી રંગના લોકો, 140 વર્ષ સુધી ન ખુલ્યું રહસ્ય
ADVERTISEMENT
યુનેસ્કોએ અમદાવાદના કાલુપુર રેલવે વિસ્તારના પુનઃવિકાસ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તાર અગાઉથી જ અમદાવાદના વિશ્વ વિરાસત બફર ઝોનમાં સંભવિત જોખમ તરીકે ઓળખાયો હતો. નિરીક્ષકોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૫ની શરૂઆત સુધીમાં અહીંની ઇમારતોનું કામ મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ ગયું હતું. જોકે, ભારતના વચગાળાના હેરિટેજ અસર મૂલ્યાંકન અહેવાલમાં આ બાંધકામોની વાસ્તવિક સ્થિતિ અને વિરાસત વિસ્તાર પર તેની અસરનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.