બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 16 મહિનામાં જ બની જશે સુભાષબ્રિજ, અમદાવાદીઓની અગવડ દૂર કરવા લેવાયો મોટો નિર્ણય!
Last Updated: 03:13 PM, 29 July 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સુભાષબ્રિજના પુનઃનિર્માણ પ્રોજેક્ટમાં વાહનવ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તે માટે તબક્કાવાર કામગીરી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટીની એજન્ડામાં નવા 8-લેન પોર્ટલ ફ્રેમ બ્રિજનું સમગ્ર કામ ૨૪ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે, જ્યારે તેની એક તરફનો બ્રિજ માત્ર ૧૬ મહિનામાં તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

AMC દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત અનુસાર, ૫૩ વર્ષ જૂના સુભાષબ્રિજના ડિમોલિશન દરમિયાન સ્ટ્રક્ચરમાં વધતી તિરાડોને ધ્યાનમાં રાખીને આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી રૂરકી અને કન્સલ્ટન્ટ AECOM સહિતની એક્સપર્ટ કમિટીએ હાલનાં સ્ટ્રક્ચરને મજબૂત બનાવવાને બદલે સંપૂર્ણપણે દૂર કરીને સ્વતંત્ર ફાઉન્ડેશન પર નવો બ્રિજ બનાવવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ‘ચેન્જ ઓફ સ્કોપ’ હેઠળ રૂ. ૨૪૧ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રોજેક્ટ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એક તરફનો બ્રિજ ૧૬ માસમાં કાર્યરત થતાં વાહનવ્યવહારને મોટી રાહત મળશે, જ્યારે બાકીની કામગીરી પૂર્ણ કરીને સમગ્ર 8-લેન બ્રિજ આગામી ૨૪ માસમાં તૈયાર કરવામાં આવશે. આ અંગેના રિવાઇઝ્ડ ટેન્ડર અને સંબંધિત મંજૂરી માટેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.