બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Kavan
Last Updated: 10:08 PM, 18 August 2021
સ્કૂલ સંચાલકોની બદદાનતને કારણે હાલ તો 400 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. પ્રાથમિક વિભાગ શરૂ કરવા માટે DPSએ અરજી કરી હતી. આ અરજીને પ્રાથમિક શિક્ષણ નિયામકે ફગાવી દીધી છે. DPSને રૂપિયા 1 લાખનો દંડ ફટાકરવામાં આવ્યો છે. વાલીઓને અંધારામાં રાખી DPSએ એડમિશન આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓને DPS બોપલમાં શિફ્ટ કરવાની વાલીઓએ માંગ કરી હતી. વાલી મંડળે સ્કૂલના ટ્રસ્ટી ઉપરાંત આગેવાનો વિરુદ્ધ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી. નવેમ્બર 2019માં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદ મંજુલા શ્રોફ તેમજ DPS - દિલ્હી પબ્લિક સ્કૂલ કેમ્પસમાં ભાડે જમીન લઇને પોતાનો આશ્રમ ચલાવી રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
બેંગલુરૂના એક દંપત્તિએ અમદાવાદ આવીને નિત્યાનંદ વિરૂદ્ધ તેમના બાળકોને અપહરણ કરવાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ ભાંડો ફૂટ્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં બાળકોને બંધક બનાવીને રાખતો હતો. બાળકોને ત્યા મા-બાપને મળવાની પરવાનગી પણ નહતી. બાળકોને ડરાવવામાં આવતા હતા કે મા-બાપને મળવા પર ગુરૂ શ્રાપ લાગશે. પોલીસે આશ્રમમાં રેડ કરી બંધક બાળકોને છોડાવ્યા હતા.
નવેમ્બર 2019માં વિવાદમાં આવી હતી સંસ્થા
અગાઉ નવેમ્બર 2019માં શિક્ષણ વિભાગ DPS સ્કૂલમાં કથિત ભગવાન નિત્યાનંદે આચરેલા કૂકર્મોને શિક્ષણ વિભાગ અને ડીઇઓ રૂરલ અમદાવાદ ઘોળીને પી ગયું હતું. કૌભાંડની તપાસ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાને રફે-દફે કરવા માટેનું તરકટ રચ્યુ હતુ. શાળામાં ચાલતા આશ્રમ અને બાળકોને ગોંધી રાખવા માટેની તપાસને ભરમાવવા માટે જમીનની NA જેવી બાબતમાં મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ વિરૂદ્ધ અમદાવાદ રૂરલમાં ફરિયાદ દાખલ કરાવીને મામલાને બધી જ રીતે પતાવી દેવાનો કારસો રચવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ પાસેથી NOC જ નહોંતુ લીધું
મંજૂલા શ્રોફને સહ આરોપી બનાવી દીધા હતા. અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી નંબર એક તરીકે DPSની પ્રિન્સિપાલ અનિતા દુઆ, બીજા નંબરે વસંત ટ્રાન્સપોર્ટના હિતેન વસંત અને ત્રીજા નંબરે મંજૂલા શ્રોફને રાખવામાં આવ્યા હતા. જોકે તે કેસમાં આરોપીઓને જામીન મળી ગયા હતા. ગુજરાતમાં CBSEની સ્કૂલ શરૂ કર્યાં પહેલા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટને ગુજરાત સરકારની મંજૂરી લઈને શિક્ષણ વિભાગ પાસેથી NOC લેવાનું હોય છે. જો કે CBSE અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તપાસ કરતા સ્કૂલ પાસે NOC જ ન હોવાનું સામે આવ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog