ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદીત નિવેદન
પીએમ મોદીને ગણાવ્યાં રાવણ
ભાજપે આપ્યો વળતો જવાબ
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી જામતી જાય છે તેમ તેમ નેતાઓના નિવેદનો પણ ચર્ચાસ્પદ બની રહ્યાં છે. ચૂંટણીમાં છવાઈ જવા નેતાઓ કે ઉમેદવારો મર્યાદા વટાવી જતા હોય છે અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ પણ પીએમ મોદી પર આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.
मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं।
हर वक्त अपनी ही बात करते हैं - 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।'
आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं?
Unable to take the heat of Gujarat election, pushed to the fringe, Congress national president Mallikarjun Kharge loses control over his words, calls Prime Minister Narendra Modi “Ravan”.
From “Maut ka Saudagar” to “Ravan”, Congress continues to insult Gujarat and it’s son… pic.twitter.com/je5lkU4HBw
શું કહ્યું ખડગેએ
પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડેગેએ કહ્યું કે પીએમ મોદી દરેક સમયે પોતાના વિશે વાતો કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો દેખાવ જોઇને વોટ આપો. લોકો તમારો ચહેરો કેટલી વાર જુએ. કાઉન્સિલરની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, ધારાસભ્ય ચૂંટણી (વિધાનસભા)માં જુઓ તમારો ચહેરો, સાંસદ ચૂંટણી (લોકસભા)માં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?
પીએમ મોદીને પડી ઉદ્ધાટન કરવાની આદત- ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી કામ પર કંઇ બોલતા નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. આ જુમલા એવી રીતે બોલે છે કે જે જૂઠાણાંની ઉપર છે. તેઓ માત્ર જૂઠું બોલે છે. કહેવામાં આવ્યું હતું કે વાર્ષિક 2 કરોડ નોકરીઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? ખડગેએ કહ્યું કે પીએમ મોદીને ઉદ્ઘાટન કરવાની આદત છે. કોઇએ કંઇ પણ તૈયાર કર્યું હોય તો ચૂનો, કલર લગાવીને તેનું ઉદ્દઘાટન કરે છે. ત્યારે તેઓ કહે છે કે આ મારું છે.
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने PM मोदी को रावण कहा है, मुझे लगता है कि इस तरह की भाषा का प्रयोग एक PM के लिए करना उचित नहीं है। ये निंदनीय है और कांग्रेस की मानसिकता को दर्शाता है। यह सिर्फ PM का अपमान नहीं है, यह हर गुजराती और गुजरात का अपमान है:संबित पात्रा, BJP,दिल्ली pic.twitter.com/q6hxH6aM7P
ગુજરાતના પુત્ર માટે આવી કોમેન્ટ યોગ્ય નથી- સંબિત પાત્રા
ભાજપે ખડેગેના નિવેદન પર ચારેબાજુથી કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. ભાજપના અમિત માલવીય, શહજાદ પુનાવાલા અને સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને તેમની કોમેન્ટને ફગાવી દીધી હતી. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ખડગેની ટીપ્પણીને અશોભનીય ગણાવતા કહ્યું કે ગુજરાતના પુત્ર માટે આવી ટીપ્પણી કરવી યોગ્ય નથી.
રવિવારે પણ ખડેગેએ પીએમ મોદીને ગણાવ્યાં હતા જુઠાણાના સરદાર
રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પ્રચાર કરવા આવેલા ખડેગેએ વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ કહ્યું કે મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જાતને ગરીબ કહે છે, પણ હું તો અછૂત છું, મારી સાથે તો કોઈ ચા પણ પીતું નથી. જો તમે સહાનુભૂતિ મેળવવા માટે આવું કરશો તો. તો તમને જણાવી દઇએ કે લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તમે કેટલી વાર જૂઠું બોલશો? તમે જૂઠાણાના સરદાર છો. "તેઓ અમને પૂછે છે, ખાસ કરીને મોદીજી અને અમિત શાહ, અમે 70 વર્ષમાં શું કર્યું? અરે ભાઈ, 70 વર્ષમાં અમે કંઈ ન કર્યું હોત તો દેશમાં લોકશાહી ન હોત.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
182 બેઠકો ધરાવતા ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એ જ દિવસે હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવવાના છે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ આ વખતે પણ ચૂંટણી જીતવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે.