બ્રેકિંગ ન્યુઝ
સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. શિવ ભક્ત મહાશિવરાત્રીની ખૂબ જ આતુરતાથી રાત જોવે છે. હિંદૂ પંચાંગ અનુસાર ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની શરૂઆત 8 માર્ચે સંધ્યાકાળ 9.57 પર થશે. તેનું સમાપન બીજા દિવસે 9 માર્ચે સંધ્યાકાળ 6.17 મિનિટ પર થશે. એવામાં આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચ 2024એ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવ સાથે જોડાયેલી અમુક વસ્તુઓના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં આ 3 પ્રમુખ છે.
ADVERTISEMENT
નાગદેવના દર્શન
મહાશિવરાત્રી પર્વના પહેલા જો તમને ક્યાંય પણ કાળા નાગ અથવા સર્પના દર્શન થાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના પહેલા ભોલેનાથના પ્રિય નાગના દર્શન કરવાથી ભાગ્યનો સાથ મળે છે એટલે કે ભાગ્ય ખુલી જાય છે.
ADVERTISEMENT

રૂદ્રાક્ષ
મહાશિવરાત્રીના દિવસે રૂદ્રાક્ષને જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવને રૂદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે અને જો તમને શિવરાત્રી પહેલા રૂદ્રાક્ષ મળી જાય તો તેને તમે પોતાની તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં સુખ સંપત્તિનો વાસ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળ થશે ભેગા! જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
5 પાન વાળું બિલિપત્ર
ભગવાન શંકરની પૂજામાં બિલિપત્ર જરૂરી છે. સામાન્ય રીતે ભગવાન શંકરની પૂજામાં ત્રણ પાન વાળા બિલિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને મહાશિવરાત્રીના પહેલા 5 પાન વાળા બિલિપત્ર મળી જાય અથવા સપનામાં જોવા મળે તો એવી માન્યતા છે કે તેનાથી તમારૂ ભાગ્ય ખુલવાના સંકેત છે. આટલું જ નહીં 5 પાન વાળા બિલિપત્ર દેખાવવા ખૂબ જ દુર્લભ હોય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.