બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતમાં ભાજપના આ નેતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર, પરિણીત મહિલાનું કનેક્શન ખુલ્યું!
Last Updated: 04:51 PM, 13 June 2026
વડોદરા જિલ્લાના સાવલી તાલુકા રાજકારણમાંથી એક અત્યંત દૂખદ અને સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના સક્રિય અને આશાસ્પદ પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ અગમ્ય કારણોસર પોતાના જ નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શાસક પક્ષના એક યુવા હોદ્દેદારે આ પ્રકારે અંતિમ પગલું ભરી લેતા સ્થાનિક રાજકીય આલમ સહિત સમગ્ર વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો મૃતકના ઘરે ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, યુવા ભાજપ પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ પોતાના ઘરના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. પરિવારજનો જ્યારે રૂમમાં ગયા ત્યારે પ્રફુલસિંહને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી અતિશય માનસિક તણાવ અને ગંભીર ડિપ્રેશન (વિષાદ) માં સરી પડ્યા હતા. તેઓ કોઈ મોટી માનસિક મૂંઝવણ અનુભવી રહ્યા હતા, જેના કારણે તેઓ આસપાસના લોકો સાથે પણ સામાન્ય રીતે વાતચીત કરતા નહોતા અને આખરે આ માનસિક ભાર ન જીરવી શકતા તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ હાઈપ્રોફાઈલ આત્મહત્યાના કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક પ્રફુલસિંહના પરિવારજનોએ આત્મહત્યા પાછળ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના સભ્યોનો સીધો આરોપ છે કે પ્રફુલસિંહના જ ગામમાં રહેતી એક પરણિત મહિલા અને ડેસર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને છેલ્લા ઘણા સમયથી અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. કોઈ ચોક્કસ બાબતને લઈને આ મહિલા અને પોલીસકર્મીઓ પ્રફુલસિંહને માનસિક રીતે ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, જેના જ કારણે આ યુવા નેતા ભારે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.
ADVERTISEMENT
ઘટના બાદ શોકાતુર પરિવારજનોએ તાત્કાલિક ધોરણે ડેસર પોલીસ મથકને આ અંગેની જાણ કરી હતી. સ્થાનિક ભાજપના પદાધિકારીના મોતના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ આત્મહત્યા પાછળ કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ, તે અંગે હજી સુધી પોલીસે સત્તાવાર ખુલાસો કર્યો નથી. જો કે, પરિવાર દ્વારા લગાવાયેલા ગંભીર આક્ષેપોને આધારે પોલીસે ડેસર પોલીસ સ્ટેશનના સંબંધિત કર્મચારીઓ અને તે પરણિતાની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.