મમતા બેનરજીની ઈજા પર અત્યંત શરમજનક નિવેદન આપતા દિલિપ ઘોષે જણાવ્યું કે મમતાએ સાડીની જગ્યાએ બર્મુડો પહેરવો જોઈએ. તેમનું પ્લાસ્ટર કાપી નખાયં છે. ક્રેપ બેન્ડેજ બાંધેલી છે. તેમને પગ જ દેખાડવા હોય તો સાડીની જગ્યાએ બર્મુડો પહેરે. એક પગ ઢાંકેલો છે, બીજો ખુલ્લો છે. દિલિપ ઘોષે જણાવ્યું કે મને ખબર નથી કે ડોક્ટર ક્યાંથી આવ્યાં છે. જેમણે તેમના ડાબા પર પ્લાસ્ટર કર્યું છે જ્યારે તેમને ઈજા તો જમણા પગ પર થઈ છે. અમે કોઈ રિપોર્ટ જોયો નથી. જો કોઈ ફ્રેક્ચર થયું હોય તો હટાવી ન શકાય.
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાનો પલટવાર
દિલિપ ઘોષના આ નિવેદન પર પલટવાર કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ જણાવ્યું કે બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષે રેલીમાં પૂછ્યું છે કે મમતા દીદીએ સાડી કેમ પહેરી છે. તેમને તેમના પગ સારી રીતે દેખાડવા માટે બર્મુડો પહેરવો જોઈએ અને આ માર્ગ ભૂલેલા વાંદરાઓને લાગે છે કે તેઓ બંગાળ જીતી રહ્યાં છે. બંગાળના રાજ્યમંત્રી ડો. શશિ પાંજાએ કહ્યું કે જો ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ પ્રકારની અશ્લીલ ટીપ્પણી કરતા પહેલા વિચારતા નથી તો તેઓ બંગાળની માતાઓ અને બહેનો માટે વિકાસનો વાયદો કેવી રીતે કરી શકે.
નરેન્દ્ર મોદી જેવા જૂઠ્ઠા જોયા નથી : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને જૂઠ્ઠા ગણાવ્યા અને ભાજપ પર ગુંડા લાવવાના આરોપ લગાવ્યા. બેનર્જીએ કહ્યું કે મેં પીએમ મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ નથી જોયા. આ કહેતા મને અફસોસ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી જૂઠ બોલે છે. કોણ છે ગુંડાઓ? મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુપીથી ગુંડા લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એક વર્ષથી ખેડૂતો રસ્તા પર છે. અદાણી બધા જ પૈસા અને ઉત્પાદન લૂંટી લેશે. માત્ર મોદી શાહ અને અદાણીને જ ખાવાનું મળશે. બીજા બધા માત્ર આંસૂ વહાવશે. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. શું કોઈને પૈસા મળ્યા છે?