બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Dewayt Khawad bail application rejected

BIG NEWS / દેવાયત ખવડની જામીન અરજી નામંજૂર, ઉત્તરાયણ હવે જેલમાં જ જશે

Dinesh

Last Updated: 03:43 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં જેલમાં બંધ દેવાયત ખવડની રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે

  • લોક કલાકાર દેવાયત ખવડની જામીન અરજી નામંજૂર 
  • રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી 
  • મારામારીના કેસમાં દેવાયત ખવડ છે જેલમાં બંધ 


મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જો કે, સમગ્ર મામલે જેલમાં બંધ દેવાયત ખવડની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી 
મારામારીના કેસમાં દેવાયત ખવડ જેલમાં બંધ છે. મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે ખવડે જામીન અરજી સેન્સ કોર્ટમાં કરી હતી, રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી દીધી છે તેમજ દેવાયતના સાગરિત કાનો રબારીના જામીન પણ નામંજૂર થયા છે. સરકારી વકીલની દલીલ આધારે કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.

રાજકોટ સેશન્સ કોર્ટે

દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.  

દેવાયત ખવડ

પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ 
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. 

પોલીસ પક્કડથી દૂર હતો દેવાયત ખવડ 
હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. મહત્વનું છે કે હાલ દેવાયત ખવડ અને તેના સાથીઓ જેલમાં છે.

જાણો સમગ્ર મામલો ? 
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ મયૂરસિંહ રાણા પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં મયૂરસિંહ રાણાના હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મયૂરસિંહ રાણાને દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મયૂરસિંહ રાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ