બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Damage to agricultural crops due to spraying of medicine for burning grass in JETCO sub station near Mansar village of Morbi.
Dinesh
Last Updated: 06:22 PM, 25 August 2023
Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માનસર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાં ઘાસ બાળવા માટે દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસની 350થી 400 વીઘા જેટલી જમીનમાં કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
પાકમાં નુકશાન થયાનો આક્ષેપ
ચોમાસામાં સારો વરસાદ થતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, જો કે, સારા વસાદના પગલે ખેડૂતોને પણ આશા છે કે સારા પ્રમાણમાં પાક થશે. જો કે, આ બધાની વચ્ચે માનસર ગામ પાસે આવેલ જેટકો કંપનીના 400 કેવી સબ સ્ટેશનમાં ઘાસ બાળવા માટે કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
350થી 400 વીઘા જેટલી જમીનમાં ઉભા પાકને નુકસાન
માનસર ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કપાસનો વાવેતર કરી પાક તૈયાર કરવામાં આવ્યું હતું. કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોઈ દાડમના પાકમાં પણ નુકસાન થયું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ સબ સ્ટેશનની બાજુમાં આવેલ 350થી 400 વીઘા જેટલી જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે, જે ખેતી પાકમાં એક મહિનાથી ગ્રોથ રોકાઈ ગયો છે. આ વર્ષે ખેડૂતોને તેમના ખેતરમાંથી એક રૂપિયાની આવક નહીં થાય અને હાલમાં ખેતરમાં ઉભા પાક ઉપર રોટાવેટર મશીન ફેરવવું પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
એક બાજુ સરકાર ખેડૂતોને આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી બાજુ સરકારી કંપની એટલે કે જેટકો દ્વારા પોતાની પ્રીમાઈસીસમાં ઊગી નીકળેલા ઘાસને બાળવા માટે જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના પાકને નુકસાન થયું હોવા છતાં તેઓને હજુ સુધી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યો નથી. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરીને જે નુકસાન થયું છે તે અંગે વળતર ચૂકવવા માંગ કરવામાં આવી રહી છે. જોકે આ બાબતે જેટકો કંપનીના સ્થાનિક એક્ઝિક્યુટિવ ઇજનેરનો સંપર્ક કરતા તેમણે કશું જ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime