બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cyclone Tauktae live news Update, know how far Tauktae from Gujarat

ચક્રવાતની અસર / તૌકતે વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર, જાણો ગુજરાતથી કેટલું દૂર છે દરિયાઈ તોફાન

Shyam

Last Updated: 12:02 AM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, ભાવનગર મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે

  • તૌકતે વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર 
  • અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધુ મજબૂત બન્યું
  • ભાવનગરમાં બે દિવસ માટે રસીકરણનો કાર્યક્રમ થયો બંધ

ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ ભાવનગરમાં રસીકરણ પ્રભાવિત થયું છે. ભાવનગરમાં 17 અને 18 મેના દિવસે રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભાવનગર મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. શહેરમાં વાવાઝોડાની સંભવિત અસરોને લઈ 2 દિવસ રસીકરણ બંધ રહેશે.

જાણો કેટલું દૂર છે વાવાઝોડું

અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે તૌકતે, હાલ વાવાઝોડું પંજીમ-ગોવાથી 220, મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે.

મુંબઈમાં કોરોના દર્દીઓને ખસેડાયા

ગુજરાતની સાથે મુંબઈ પર પણ તૌકતે વાવાઝોડાની અસરની સંભાવનાને લઈ BMCએ 580 જેટલા કોરોનાના દર્દીઓને જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. આ દર્દીઓને દહિસર, બીકેસી અને મુલુંડ જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે. જેમાં દહિસરથી 183 દર્દી, બીકેસીથી 243 અને મુલુંડથી 154 દર્દીઓને ખસેડાયા છે. હવામાન વિભાગે વાવાઝોડાના કારણે 80 કિમી પ્રતિ કલાક રફતારથી ચાલતી હવાઓને લઈ ચેતવણી આપી છે. સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Cyclone Tauktae Live Cyclone Tauktae live news ચક્રવાત તૌકતે ભાવનગર રસીકરણ Cyclone Tauktae
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ