સુવિધાનો લાભ લેવા માટે યૂઝર્સે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહીં
ડેડલાઇન પોસ્ટપોન થશે નહીં
સપ્ટેમ્બર મહિનાનો અંત આવી ચૂક્યો છે અને ઑક્ટોબર હવે ઘણાં બદલાવો લઇને આવી રહ્યો છે. જેમાં RBIનું કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશન (CoF card tokenisation) નિયમ પણ લાગુ થવા જઇ રહ્યો છે. આ સિસ્ટમને લીધે એક તરફ કાર્ડ હોલ્ડર્સના પેમેન્ટ કરવાની સુવિધામાં વધારો તો થશે જ સાથે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન પહેલાથી વધુ સુરક્ષિત થશે.
1 ઑક્ટોબરથી લાગુ થશે ટોકનાઇઝેશન
ભારતિય રિઝર્વ બેંક 1 ઑક્ટોબર 2022થી ટોકનાઇઝેશન કરવા જઇ રહી છે. આ નવી પદ્ધતિમાં જ્યારે પણ યૂઝર ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોઇન્ટ ઑફ સેલ (pos) મશીનથી ઓફલાઇન કે કોઇપણ એપથી પેમેન્ટ કરશે તો કાર્ડની ડિટેલ્સ ઇનક્રિપ્ટેડ ટોકન્સના રૂપે સ્ટોર થશે એટલે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ડાટા સ્ટોર નહીં કરી શકે. તેના બદલે પેમેન્ટ કંપનીઓને એક વૈકલ્પિક કોડ આપવો પડશે જેને ટોકન નામ આપવામાં આવ્યું છે.
આ રીતે કામ કરશે સિસ્ટમ
ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ થયા બાદ પેમેન્ટ કંપનીઓને એક વૈકલ્પિક કોડ એટલે કે ટોકન આપવો પડશે, જે મોટાભાગે યૂનિક હશે અને કેટલાક કાર્ડ માટે એક જ ટોકનનો ઉપયોગ થઇ શકે છે. તેનાથી ચૂકવણીની રીત બદલાઇ જશે કારણકે ઓનલાઇન પેમેન્ટ કરતાં સમયે તમને તમારા કાર્ડના બદલે માત્ર આ યૂનિક કોડનો જ ઉપયોગ કરવાનો રહેશે.
RBI એ તમામ ઓપરેટિંગ બેંકોના કાર્ડ વિવરણ માટે ટોકનના કોડ જનરેટ કરવા માટે આદેશ આપ્યો છે. આરબીઆઇનું માનવું છે કે ગ્રહકોના કાર્ડની ડિટેલ્સ લીક થવાથી તેમની સાથે ફ્રોડના કેસ વધી રહ્યાં છે જેના લીધે કાર્ડના બદલે ટોકન પેમેન્ટ વ્યવસ્થા લાગુ કરવાથી ફ્રોડના કેસ ઘટશે.
ચાર્જ લાગશે કે નહીં?
આ નવી સુવિધાનો લાભ લેવા માટે યૂઝર્સે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહીં. સાથે જ તેનો ઉપયોગ ગ્રાહક કઇરીતે કરવા ઇચ્છે છે તેનો નિર્ણય કરવાનો હક પણ તેમના પાસે જ રહેશે. જો ગ્રાહક ઇચ્છશે તો જ તેમને ટોકન આપવામાં આવશે નહિંતર જૂની પદ્ધતિથી પણ પેમેન્ટ કરી શકાશે. TOKENISATION સિસ્ટમથી વીઝા, માસ્ટરકાર્ડ અને રૂપેય જેવા કાર્ડ નેટવર્ક થકી ટોકન નંબર આપવામાં આવશે.
ડેડલાઇન પોસ્ટપોન થશે નહીં
TOKENISATION લાગુ પાડવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી શરૂ થઇ ગઇ છે. પરંતુ તેના અમલીકરણની ડેડલાઇન 2 વખત વધારવામાં આવી હતી. પહેલા 1 જાન્યૂઆરી 2022થી અમલમાં આવવાની હતી પરંતુ તેની સમયસીમા 31 ડિસેમ્બર 2021થી વધારીને 20 જૂન કરવામાં આવી. ત્યારબાદ સમયસીમા ફરી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી. પરંતુ હવે આ સમયસીમા વધે તેની સંભાવના ઓછી દેખાઇ રહી છે.