બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil's statement has come out in the Bhavnagar dummy Kand

ડમીકાંડ / 'જે વ્યક્તિ કૌભાંડ ખુલ્લા પાડવાનું કહેતો હતો તે જ પાંજરે પુરાયો, તપાસમાં બીજા નામો પણ આવશે સામે', યુવરાજસિંહ કેસમાં બોલ્યા CR પાટીલ

Malay

Last Updated: 11:30 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ મામલે સી.આર પાટીલે કહ્યું, કૌભાંડ ઉજાગર કરવાની વાતો કરતો વ્યક્તિ આજે પાંજરામાં પુરાયો છે અને તે પોતે અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છે. તેણે ઘણા નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને દોષિત લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે.

 

  • ભાવનગર ડમી ઉમેદવારકાંડ મામલો
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન
  • આરોપીએ રોકડા રૂપિયા પડાવ્યા છેઃ પાટીલ

ભાવનગર ડમીકાંડની રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'જે વ્યક્તિ ડમીકાંડ ખુલ્લા કરવાનું કહેતો હતો તે જ પાંજરે પુરાયો છે.'

આ વ્યક્તિ અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છેઃ સી.આર પાટીલ
સી.આર પાટીલે કહ્યું કે, 'જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો આજે એ જ આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિક પણે જો આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપરલીક થાય ત્યારે તેની સૌથી પહેલા માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જોડાયેલો હશે, જેના કારણે આવું થાય.' 

ભાજપ પ્રદેશ પ્રમુખ પદે 2 વર્ષ પૂર્ણ થવા પર CR પાટીલે કહ્યું, 'મોદીજીની  સરકારમાં કોઈ દુશ્મન આંખ ઊંચી કરીને ન જોઈ શકે' | CR Patil address on  completion of 2 years as
સી.આર પાટીલ (ભાજપ પ્રદેશ પ્રમુખ)

આરોપીએ રોકડા રૂપિયા પડાવ્યા છેઃ પાટીલ
તેમણે જણાવ્યું કે, 'આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં ઘણા લોકોના નામ સામે આવશે.' 

48 કલાકમાં 4 આરોપીઓની ધરપકડ
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના  રિમાન્ડ મંજૂર, એક કરોડની રિકવરી સાથે મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે પોલીસ  #dummycandidate ...

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
જે સમગ્ર મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તેમણે સ્પષ્ટ ના કહી દીધું છે તેમજ તેમણે કહ્યું કે આ મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. વધુમાં આઈજીએ જણાવ્યું હતું કે, આજે બે અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે જે ઘનશ્યામ  લાધવા અને બિપિન ત્રિવેદી છે જે બંન્નેનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરાયા છે.

'નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે'
ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા,  ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેશન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે

'શિવુભાની શોધખોળ ચાલી રહી છે'
રેન્જ IGએ જણાવ્યું હતું કે, શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજુ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહીં છે તેમજ આર.કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે

શું છે સમગ્ર મામલો?
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ