બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus pm modi cms meeting dycm nitin patel lockdown
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી(DyCM) નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે કોરોના વાયરસ અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રિકરવી રેટ, મૃત્યુદર અને હોસ્પિટલ અંગેની ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિન પટેલે ફરી લૉકડાઉન લાગૂ થવાને લઇને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, લૉકડાઉનની વાત અફવા.
નીતિન પટેલે જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારનું લૉકડાઉન દેશમાં આવવાની શક્યતા નહીં, ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથી. સરકાર ફરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયાસ કરી રહી છે.
વેપાર-ધંધા ચાલુ કરવાના છેઃ નીતિન પટેલ
ADVERTISEMENT
વધુમાં નીતિન પટેલે કહ્યું કે, PMએ કહ્યુ કોરોના સામે લડત ચાલુ જ રાખવાની છે. વેપાર, મુડીરોકાણ અને રોજગારી વધારવા PMએ ચર્ચા કરી હતી. કોરોનાથી બચવાની સાથે વેપાર-ધંધા પણ ચાલુ કરવાના છે.
ADVERTISEMENT
દેશના સૈનિકો દુશ્મનોને મારતા-મારતા શહીદ થયાઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે, આપણા સૈનિકો એકલા શહીદ નથી થયા, દુશ્મનોને મારતા-મારતા શહીદ થયા છે. સૈનિકોએ સરહદ પર જ બદલો લઈ લીધો છે. દેશની એક-એક ઇંચ જમીનના રક્ષણ માટે સક્ષમ છીએ. આપણો દેશ માનવતા અને ભાવના વાળો દેશ છે. ભારત ઇચ્છે છે પાડોશી દેશો સાથે મિત્રતા ભર્યા સંબંધો રહે પરંતુ જો કોઇ દૂરુપયોગ કરવા માગશે તો તેને ભારત ચલાવી લેશે નહીં. ભારતની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરવા માટે જે પણ કઇ કરવું પડશે તે કરવા આપણે સક્ષમ છીએ. કોઈ રાજ્ય માટે PM એ વિશેષ સુચન નથી કર્યુ. PMના સુચનો તમામ રાજ્યોને લાગૂ પડે તેવા હતા. દેશની સલામતી માટે પક્ષાપક્ષીથી આગળ રહેવાનું છે.
ADVERTISEMENT
રાજ્યસભાની ચૂંટણી મામલે DyCM નીતિન પટેલનું નિવેદન
રાજ્યસભાની ચૂંટણી અંગે નીતિન પટેલે કહ્યું કે, અમારા બધાજ ધારાસભ્યો બેઠકમાં હાજર છે, મતદાન પૂર્ણ થઈ જાય ત્યા સુધી ધારાસભ્યો અહીં જ રહેવાના છે. અમારા તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અન્ય પક્ષોના ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.