મહામારીમાં શાંતી જાળવી ગાઈડલાઈનનું પાલન કરવાને બદલે લોકો ઘેટાની જેમ નીકળી પડે છે ત્યારે હવે વડોદરામાં દવાની દુકાનોમાં એક દવા માટે બીનજરૂરી લાઈનો લાગી છે.
વડોદરામાં હોમિયોપેથી દવા માટે દોડધામ
સોશિયલ મીડિયામાં મેસેજ થયા વાયરલ
એસ્પોકોડીયમ દવા લેવા લોકોની ભીડ
કહેવાય છે કેને ડુબતાને તરણાનો સહારો છે બસ આવુ જ હાલ કોરોનાની મહામારીમાં લોકો પેનીક થઈને કરી રહ્યા છે પરંતુ ખોટુ પેનીક કરવાથી નુકસાન જ થશે. હાલ તમે લોકોથી દૂર રહો. ભીડ ભેગ ન કરો એ જ બચાવ છે ત્યારે જીવન બચાવવાને નામે દવાઓ સહિતની વણજોઈતી ચીજવસ્તુઓ કે દવાઓ માટે પણ લોકો લાઈનો લગાવે છે. ત્યારે તેમે ક્યાંકને ક્યાંક કોરોનાના કેરિયર બનો છો. વોડદરામાં આવી જ ઘટના ઘટી છે.
વડોદરામાં હોમિયોપેથી દવા માટે દોડધામ મચી છે.ઓક્સિજન વધારી આપતી વધુ એક હોમિયોપેથી દવા માટે લોકોની દોડધામ મચાવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના આધારે લોકોએ દોટ મૂકી છે.
કઈ દવા માટે થઈ રહી છે દોડાદોડી?
હોમિયોપેથીની એસ્પોકોડીયમ દવા લેવા લોકોની ભીડ જામી છે. બે દિવસથી લોકો સંગ્રહ કરવા દોડધામ કરી રહ્યા છે. માગ વધતા એસ્પોકોડીયમનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે.
શેના માટે વપરાય છે આ દવા?
હોમિયોપેથીની એસ્પોકોડીયમ દવાનો અત્યાર સુધી અસ્થમાના દર્દીઓ માટે ઉપયોગ થતો હતો પણ હવે લોકો પેનિક થઈને કોરોના ના હોવા છતા સંગ્રહ કરવા ખરીદી રહ્યા છે.