અમદાવાદ ધન્વંતરિ હોસ્પિટલ બહાર તંત્રની અવ્યવસ્થાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓના સગા ટોકન નંબર લેવા વહેલી સવારથી લાઇનમાં ઉભા છે. પહેલા એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી અને હવે દર્દીઓના સગાઓએ ટોકન નંબર માટે રાહ જોવી પડે છે
અમદાવાદમાં ધન્વંતરિ હોસ્પિટલ બહાર સ્થિતિ જૈસે થે જેવી જ છે. દર્દીઓ પરેશાન છે ત્યારે શું આવી સ્થિતિમાં ફોર્મ ભરવું જરૂરી છે? ક્યાં સુધી લોકો લાઇનમાં જ ઉભા રહેશે?
VTV સમક્ષ દર્દીઓના સગાએ વ્યક્ત કરી વેદના
VTV સમક્ષ દર્દીઓના સગાએ વ્યક્ત વેદના કરી હતી. દર્દીઓના રડતા રડતા કહી રહ્યા છે,''આવી સિસ્ટમ ન હોવી જોઇએ'' સારવાર માટે લોકોને લાઇનમાં ન ઉભા રાખવા જોઇએ. અમે સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઉભા છે.
ટોકન લેવા દર્દીઓના સ્વજનોને મોટી હાલાકી પડી રહી છે. ટોકન બાદ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે છે. સગાને ફોન આવ્યા બાદ દર્દીને કરવામાં દાખલ આવે છે. ટોકન સિસ્ટમથી દર્દીઓના સ્વજનોને હાલાકી પડી રહી છે.