બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Hiren
Last Updated: 05:42 PM, 7 June 2020
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે કઇ રીતે એક્શન લઇ શકાય અને કયા સુધારા કરી શકાય. આ માટે 9 તબીબોની વિશેષ ટીમ માહિતી આપશે. જેઓ કોરોનાની સ્થિતિ સામે કેવી રીતે લડવું તેની માહિતી આપશે. ગુજરાત જ નહીં ભારત કક્ષાના તજજ્ઞોને છે. આ કમિટી આપણને એડવાઇઝ કરી રહી છે.
પદ્મશ્રી ડો.તેજસ પટેલનું મોટું નિવેદનઃ કોરોના સાથે જીવતા શીખવું પડશે
કોરોના સંક્રમણ અત્યારે પીક પર છે. કોરોનાની વેક્સીન આવે એ જરૂરી નથી. આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. આપણી પાસે સ્વાઈન ફલૂ, HIVની વેક્સીન નથી. કોરોના સાથે સાવચેત રહી જીવવાની જરૂર છે. આ વાયરસ ગમે ત્યારે જતો રહેશે ચિંતા કરવાની જરૂર નથી.
ડૉ.તેજસ પટેલે કહ્યું, ચોમાસા દરમિયાન કોરોના વધારે ફેલાય તે ભ્રમણા છે. ભેજવાળા વાતાવરણમાં કોરોનાનો ફેલાવો ઓછો થશે છે. ભેજનું પ્રમાણ વધે અને તાપમાન 35 ડિગ્રી થાય તો સંક્રમણ ઘટશે. યુવાનો એવું માને છે કે કોરોના પતી ગયો તે ખોટુ છે. યુવાનો કોરોનાના કેરિયર બની શકે. તેજસ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સેન્ટ્રલ વોર્ડમાં હર્ડ ઈમ્યુનિટિની શરૂઆત થઇ ચૂકી છે, કોટ વિસ્તારમાં કેસ ઘટી રહ્યા છે.
તો અન્ય ડૉ. અમી પરીખે કહ્યું, કોરાનાથી 85 ટકા દર્દીઓ સાજા થાય છે. એક્સપર્ટ ટીમના ડૉક્ટર વિરલ શાહે કહ્યું કે, તબલીગી જમાતને કારણે અમદાવાદમાં સંક્રમણ વધ્યું છે.
કોરોનાના કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી: ડૉ. તેજસ પટેલ
આ અંગે ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનો કોઈ કાયમી ઈલાજ નથી. જેને કોરોનાના કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી. સ્પેસિફિક ઈન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેમને તાત્કાલિક સારવાર આપવા પર ભાર મુકાશે. જેટલો સમાજ ચિંતિતિ છે એટલા જ તબીબો પણ ચિંતિત છે. મોત કેમ વધારે થયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે.
200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને આ વાયરસ આખી દુનિયા માટે નવો છેઃ ડૉ. તેજસ પટેલ
ડૉ. તેજસ પટેલે કહ્યું કે, 200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. લૉકડાઉનના કારણે આપણે એક લેવલ સુધી કોરોનાને રોકી શક્યા. દુનિયામાં કોઈપણ એક્સપર્ટ પાસે વાયરસની સંપૂર્ણ માહિતી નથી. આપણે આપણા અનુભવમાંથી શીખી કાળજી રાખી રહ્યાં છીએ. ગુજરાતમાં મૃત્યુનો દર વધારે છે. વધુ મૃત્યુદર અંગે તબિબો ચિંચિત છે. કોરાનાથી જેટલો સમાજ ચિંતિત એટલા અમે પણ ચિંતિત છે. ડેથ રેસીઓ ઘટાડવા દુનિયા ભરના નિષ્ણાતોના સંપર્કમાં છીએ. દુનિયાભરના એક્સપર્ટ સાથે હાલ સંપર્કમાં છીએ. કોરોના વાયરસની કોઇ ટ્રીટમેન્ટ નથી. કોરોના વાયરસની કોઈ નિશ્ચિત સારવાર નથી. ગુજરાતમાં મૃત્યુદર શા માટે વધારે છે એનો જવાબ આપવો મુશ્કેલ છે. વાયરસથી થતા મૃત્યુના કારણો અલગ-અલગ છે. અલગ-અલગ દેશમાં મૃત્યુદરમાં મોટો તફાવત છે. યુરોપમાં નજીક-નજીકના દેશોમાં પણ મૃત્યુદરમાં મોટો તફાવત. આપણા એક એક રાજ્યમાં યુરોપના દેશો જેટલી વસ્તી. ઉણપો પૂર્ણ કરી ગંભીર દર્દીઓને બચાવવા અમારો પ્રયાસ છે. દેશમાં સરેરાસ મૃત્યુદર 2 ટકા છે, ગુજરાતમાં 6.22 ટકા છે. RT-PCRનો ટેસ્ટ લક્ષણ ન હોય તેવાઓએ કરાવવો ન જોઈએ. અમારૂ વિશેષ ધ્યાન ગંભીર દર્દીઓને બચાવવા પર છે. પોઝિટિવ દર્દી નેગેટિવ થયા કે નહી તે જોવા RT-PCR જરૂરી નહીં. એસિમ્પોટોમેટિક માટે ટેસ્ટ કરાવવો જરૂરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો