બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / corona-virus-pm-narendra-modi-all-states-cm-video-conferencing
vtvAdmin
Last Updated: 01:14 PM, 2 April 2020
મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી સામાન્ય પ્રજા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેમના માટે કરાયેલી વ્યવસ્થા પર વાત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ તમામ મુખ્યમંત્રીઓને લૉકડાઉનનું કડક પાલન કરવા જણાવ્યું હતું. તેમણે આ સાથે રાજ્યોને અપીલ કરી હતી જે રાજ્યોમાં જમાતના લોકો ગયા છે તેમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે.
આ સાથે PM મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને આ સંકટના સમયમાં આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે મળીને લડીશું.
દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 2000ને વટાવી ગઈ છે, જ્યારે 58 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકની અંદર જ સાત લોકોના મોત થયા છે અને લગભગ 300 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના સંકટને લઈને સમગ્ર દેશ ચિંતત છે.
શ્રમિકોના પલાયન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે આપણે શ્રમિકોના પલાયનને કોઇપણ રીતે રોકવી પડશે. તેના માટે દરેક રાજ્ય પોતાના તરફથી સારી વ્યવસ્થા કરે. શ્રમિકો માટે શેલ્ટર હોમની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરે. આ સાથે શ્રમિકોને પણ અપીલ કરી છે કે તેઓ રોડ પર ન નીકળે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આ સંકટના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઉત્તમ સંકલનની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સરકારના પડખે ઉભી છે અને રાજ્ય સરકારને જે જરૂરી મદદ છે તે ઉપલબ્ધ કરાવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મેડિકલ સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી.
Prime Minister Narendra Modi holds meeting with Chief Ministers via video conferencing, on #COVID19 situation in the country. Home Minister Amit Shah & Defence Minister Rajnath Singh also present. pic.twitter.com/t0irTAXGc5
— ANI (@ANI) April 2, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાંક દિવસોમાં કોરોનાના વધતાં કેસને લઇને ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળે તેઓ આઇસોલેટ થાય. આ સાથે તેમના સંપર્કમાં આવેલા બધા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે. જો ક્વોરન્ટાઇન વોર્ડ વધારવાની જરૂરિયાત છે તો તેને વધારવામાં આવે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોગ પ્રતિકારક ક્ષમતા (ઇમ્યુનિટિ) વધારવા અંગે ટિપ્સ આપી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યૂનિટિ માટે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે સરળતાથી કરી શકાય છે. કેટલીક તો એવી વાત છે કે જે હું વર્ષોતી કરતો આવ્યો છું. જેમ કે આખુ વર્ષ ગરમ પાણી પીવું.
આમ દેશમાં વધતા કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બધા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે રાજ્યો તરફથી કરવામાં આવી રહેલા ઉપાયો પર વાતચીત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા