રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ અનલૉકમાં છૂટછાટ પણ મળવા લાગી છે. તેવામાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ગરબા આયોજકોએ ગરબાના આયોજનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આયોજકોએ નાના પાર્ટી પ્લોટોમાં આયોજન કરવાની મંજુરી માગી હતી. પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલની સ્થિતિને જોતા તે શક્ય લાગી રહ્યું નથી. જો સામાન્ય સ્થિતિ થશે તો સરકાર તેની ગાઈડલાઈન બહાર પાડશે પરંતુ હાલ પુરતુ ગરબાનું આયોજન થાય તે શક્ય લાગી રહ્યું નથી.
કોરોના સંકટ વચ્ચે ગરબાના આયોજનને લઇને મહત્વના સમાચાર
આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથીઃ ગ્રીષ્મા ત્રિવેદી
ગરબાના આયોજનને લઇને સંચાલકો મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત
ગરબા ગુજરાતની ઓળખ છે ત્યારે કોરોનાના કારણે તહેવારોની ઉજવણી પર અનેક પ્રશ્નાર્થ લાગી રહ્યાં છે. ત્યારે નવરાત્રી પણ હવે નજીક આવી રહી છે. કોરોના સંકટ વચ્ચે ગરબાનું આયોજન શક્ય ન હોવાની વાત સામે આવી છે. આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથી. ૉજેને લઇને ગાંધીનગરમાં આજે(સોમવાર) ગરબા ઓર્ગેનાઇઝરો મુખ્યમંત્રી રૂપાણી સાથે આ મુદ્દે રજૂઆત કરી હતી. ગરબા ઓર્ગેનાઇઝર મુખ્યમંત્રી રૂપાણી આવેદનપત્ર આપ્યું હતું. આયોજકો નાના પાર્ટીપ્લોટમાં લિમિટેડ પબ્લિક સાથે ગરબાની મંજૂરી માટે રજૂઆત કરી હતી.
30 ઓગસ્ટ સુધી કોઇ મંજૂરી નહીં, પછી જો પરિસ્થિતિ બદલાશે તો વિચારીશું: મુખ્યમંત્રી
CM રૂપાણી સાથે મુલાકાત બાદ ગરબા સંચાલકોએ નિવેદન આપ્યું હતું. જેમાં ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથી. આયોજકોએ નાના-પાર્ટી પ્લોટમાં
મર્યાદિત લોકો સાથે ગરબાની મંજૂરી માગી હતી. 30 ઓગસ્ટ સુધી સરકાર કોઇ પણ પ્રકારની નહીં આપે મંજૂરી. 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિ બદલાય તો સરકાર વિચારણા કરશે. પરિસ્થિતિ બદલાશે તો સરકાર ગાઈડલાઈન બહાર પાડશે.