બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy over stopping Mohanthal Prasad in Ambaji temple

ના હોય! / અંબાજીમાં ભક્તોએ જ શરૂ કરી દીધો મોહનથાળનો પ્રસાદ, પીતાંબર સાથે ભૂદેવો પહોંચ્યા કલેક્ટર કચેરી!

Malay

Last Updated: 02:37 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે. તો અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.

  • અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા વિવાદ
  • અંબાજીમાં ભક્તો દ્વારા શરૂ કરાયો છે મોહનથાળ પ્રસાદ
  • હાઈકોર્ટમાં પહોંચી શકે પ્રસાદીનો મામલો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મોહનથાળ પ્રસાદના મામલાને 7 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો સાથે-સાથે ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માંગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલું થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ત્યારે હવે એવું કહેવાઈ રહ્યું છે કે, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચી શકે છે. તો અંબાજીમાં આજે ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.

હાઈકોર્ટમાં દાખલ થઈ શકે છે PIL
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં
પહોંચી શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે.

ભક્તોએ શરૂ કર્યો મોહનથાળ
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા હવે અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે. પીતાંબર સાથે ભૂદેવો અને ભક્તો મોહનથાળના પ્રસાદ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. માં અંબાને ધરાવેલો મોહનથાળનો પ્રસાદ ભક્તો જિલ્લા કલેકટરને આપશે. 
 
ધાર્મિક સંગઠનોએ આપેલા અલ્ટીમેટમનો સમય પૂર્ણ 
અંબાજી પ્રસાદનો મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બંધ કરવા મામલે વિવિધ ધાર્મિક સંગઠનોએ અંબાજી ટ્રસ્ટને જે અલ્ટીમેટમ આપ્યું હતું, તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી 2 દિવસમાં ધાર્મિક સંગઠનોના આંદોલન શરૂ થશે. હાલ અંબાજીમાં ભક્તોને ચિક્કીનો પ્રસાદ અપાઇ રહ્યો છે.

8 તારીખ સુધીનું આપવામાં આવ્યું હતું અલ્ટીમેટમ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અંબાજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને 8 તારીખ સુધીમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી હતી. તેમજ જો 8 તારીખ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વધુમા ગ્રામજનો સાથે મિટિંગ યોજી ગામ બંધ કરવાની તૈયારી દર્શાવી અને વહેલી તકે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા જણાવ્યું હતું.

પરંપરા ન તોડવા અપીલ
બીજી તરફ આ મામલે કરણી સેનાએ પણ રોષ ઠાલવ્યો હતો. રાજકોટમાં કરણી સેનાના અગ્રણીએ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું. પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો અમને આપો. તેમ કહી પ્રસાદ વિતરણની જવાબદારી કરણી સેના સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણીએ અપીલ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ