ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Congress Will Ready to Join With Shiv Sena on this Condition

મહારાષ્ટ્ર / જો કોંગ્રેસનાં આટલાં મંત્રીઓ હોય તો જ શિવસેના સાથે સરકાર, કોંગ્રેસની ફૉર્મ્યુલા તૈયારઃ સૂત્ર

Published By: vtvAdmin

Last Updated: 06:12 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં શિવસેના NCP અને કોંગ્રેસ સાથે સરકાર બનવા થનગની રહી છે ત્યારે કોંગ્રેસે નિશ્ચિત ફૉર્મ્યુલા સાથે ટેકો આપવાની તૈયારી દર્શાવી છે. મહારાષ્ટ્ર રાજનીતિના આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસ અને NCP શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર છે પણ શરતોને આધીન. જો કે આ ગડમથલમાં શિવસેનાએ 30 વર્ષ બાદ NDA અને ભાજપથી અલગ થઈ છે.

ADVERTISEMENT

  • કોંગ્રેસ પોતાની ફૉર્મ્યુલા મુજબ જ સરકારમાં સામેલ થવા તૈયાર
  • શિવસેના સાંજ સુધીમાં રાજ્યપાલને મળી સરકારનો દાવો કરશે
  • 30 વર્ષમાં પ્રથમ વખત ભાજપ શિવસેના અલગ પડ્યા

કોંગ્રેસે મંત્રી અને Dy CM પદ માંગ્યું

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે CWCની બેઠક બાદ એવી માંગ કરી છે કે શિવસેનાના મુખ્યમંત્રી હોય પણ NCP અને કોંગ્રેસના બે નાયબ મુખ્યમંત્રી હોય. આ સાથે કેબિનેટ મંત્રાલયમાં પણ શિવસેના-NCP અને કોંગ્રેસના 14-14 મંત્રી હોવા જોઈએ. જો શિવસેના આ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર હોય તો કોંગ્રેસ ટેકો દેવા તૈયાર છે.

શિવસેના સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળશે

જો કોંગ્રેસના મવડી મંડળના કહેવા મુજબ બપોરે 4 વાગ્યાની મિટીંગ પુરી થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. એ જ વચ્ચે સાંજે 6 વાગ્યે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચશે અને સાંજે 7.30 વાગ્યા સુધીમાં શિવસેના સરકાર બનાવશે કે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 

કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપ્યાં બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બની રહી છે. ઠાકરે પરિવાર વચનો પાક્કો છે અને તે નિભાવીને રહેશે. ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલાનો વાયદો હતો અને તેમાં CM પદ પણ શામેલ હતું પરંતુ તે ભાજપે નિભાવ્યો નહીં. ઠાકરે પરિવારને આ બાબતથી દુઃખ પહોંચ્યું છે અને તેથી જ અમારું ગઠબંધન ટુટ્યું છે. આવી પરિસ્થિતિમાં મારું કેબિનટેમાં રહેવું યોગ્ય નથી. મેં મારું રાજીનામું PM મોદીને મોકલી આપ્યું છે. મારું રાજીનામું આપવાનો મતલબ તમે સમજી જ શકો છો.

કેવી રીતે બનશે શિવસેનાની સરકાર

શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 288 બેઠક છે. કોઇપણ પક્ષને સરકાર બનાવા માટે 145નો આંકડો જોઇએ. આવા સમયે 54 બેઠકવાળી શરદ પવારની NCPનું સમર્થન શિવસેનાને મળી જાય તો પણ આંકડો 110 સુધી પહોંચી શકે છે. ત્યારે શિવસેનાને સરકાર  બનાવવા માટે દાવા રજૂ કરવા પર 35 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડે. 

એવામાં અન્ય પાર્ટી તેમજ અપક્ષ ઉમેદાવારના ખાતામાં 27 બેઠક ગઇ છે. જ્યારે કોંગ્રેસ પાસે 44 સીટ છે. આવામાં શિવસેના ગઠબંધનને એનસીપી સિવાય 35 બેઠકની જરૂરિયાત પડી શકે છે. આમ આવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન સિવાય કોઇ વિકલ્પ નથી. આમ કોંગ્રેસ, શિવસેના અને NCP સાથે આવી જાય છે તો આ ગઠબંધન બહુમતિના જાદુઇ આકાડાંને પાર કરી શકે છે. ત્રણેય પક્ષની કુલ 154 બેઠક થઇ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Sonia Gandhi congress કોંગ્રેસ મહારાષ્ટ્ર સોનિયા ગાંધી Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ